________________
ઈતિહાસ ] : પર૩૪
હતિના હજી પણ રહીસહી પુરાણી નિસિહી સાચવી રાખી તેનું પૂ૫ રાખવામાં આવે તે સારું, એમાં જ સાચું જૈનત્વ અને વીતરાગના ઉપાસકવનું ફલ છે. આ સિવાય અહીં એક પ્રાચીન મંદિર ખાલી પડયું છે. તે પણ જૈન મંદિર લાગે છે તેમજ એક બાવાની મઢીનું સ્થાન છે તે પણ પહેલાં જૈન મંદિર હશે.
અહીં હસ્તિનાપુરના બે ભાગ કહે છે, એક પાંડવ વિભાગ અને બીજે કૌરવ વિભાગ. આદિનાથ ભગવાનની ટુંકથી પશ્ચિમે ઘણા પ્રાચીન ટલા છે ત્યાં માતામાં ઘણું ધૂળધે ઈયા આવે છે. દર વર્ષે પિતાના ભાગ્ય મુજબ કિમતી ચીજો લઈ જાય છે. તેમજ પ્રાચીન સિક્કા, વાસણે અને કૃતિઓ નીકળે છે. એક મુષ્ટ, કુંડળ સહિત જિનમૂર્તિનું મરતક નિકળ્યું હતું, પરંતુ દિ. જેનેએ તે ગંગામાં પધરાવ્યું. એક નગ્ન મૂર્તિ નીકળી હતી તે શ્વેતામ્બરેએ દિને આપી. કહે કેની ઉદારતા અને સંકુચિતતા છે?
અહીં અમને રાયબહાદુર પં. દયારામ શાહની એમ. એ. ડાયરેકટર જનરલ ઓફ આર્કિઓલેજ ઈન ઈન્ડિયા મળ્યા. બહુ જ સજન અને ભલા માણસ છે. પુરાતતવના વિશારદ છે એમ કહું તે ચાલે. અમારે ઘણી વાતચીત થઈ. નાલંદા વિભાગમાં જન વિભાગ દવાનું, ક્ષત્રિયકુંડના જૈન ટીલા, શૌરીપુર, મથુરા અને હસ્તિનાપુર વિભાગ માટે વાત કરી. પટ્ટાવલી સમુચ્ચય જે જોઈને અતિવ ખુશી થયા. મથુરાના શિલાલેખેામાં આવતી ગુરુપરંપરા-પટ્ટાવલી અને આમાંથી અમુક પટ્ટાવલી તદ્દન મળતી છે, તે બરાબર બતાવ્યું. તેમણે કહ્યું-આવું સુંદર પુસ્તક હજી આ પ્રથમ જ લાગે છે. અમને જૈન સાહિત્ય જ મળતું નથી. અન્તમાં તેમણે કહ્યું-તમે મને પટ્ટાવલી સમુચ્ચય આપે અને હું આપને ક્ષત્રિયકુંડમાંથી ભગવાન મહાવીરના સમયની પ્રાચીન સાહિત્ય સામગ્રી આપું. આ જિંદગીમાં બૌદ્ધ અને વૈદિક સાહિત્યની સેવા ઘણુ કરી. હવે વીરભગવાનની સેવા કરવી છે. પછી અમે તેમને સાથે રહી ત્યાંના પ્રાચીન સ્થાને, ટીલા, . દિ, મંદિર આદિ બતાવ્યું. . મંદિરને શિલાલેખ અમે લીધેલ. શ્રી શાંતિચંદ્ર ગણી પ્રતિષ્ઠિત સૂતિને શિલાલેખ પણ લઈ ગયા.
હસ્તિનાપુર પરમ શાન્તિનું સ્થાન છે. ખાસ સમય કાઢી રહેવા જેવું છે. ડે દૂર ગંગા વહે છે. ચોમાસામાં અહીં મચ્છર આદિને અતિવ ઉપદ્રવ હોય છે. મેલેરીયાનું જોર રહે છે. કાર્તિકથી વિશાખ સુધી ઠીક છે.
અહીં આવનાર ગૃહસ્થાએ મેરઠ સુધી રેલ્વે અથવા તે મોટરમાં આવવું. મેરઠથી મવાના સુધી પાકી સડક છે. મેટરે મળે છે. ત્યાંથી છ માઈલ હરિતનાપુર છે. રસ્તે કાચે છે. ટાંગા, મટર આદિ વાહને જાય છે. જીહ મેરઠ, પિટ મવાના મુ. હસ્તિનાપુર આ પ્રમાણે પેસ્ટ છે. પંજાબથી પણ અહીં અવાય છે.
અહીં કાર્તિક સુદ પુનમને મોટો મેળો ભરાય છે. વ્યવસ્થા સારી રખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com