SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - ઈતિહાસ ] : ૫૧૩ : શૌરીપુરી શૌરીપુરી યદુકુલતિલક બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથજી ભગવાનની જન્મભૂમિ તરીકે, આ સ્થાન બહુ જ પ્રસિદ્ધ છે. શૌરીપુરની સ્થાપનાને પ્રાચીન ઉલેખ વસુદેવહિડી જેવા પ્રાચીન ગ્રંથમાં આ પ્રમાણે મળે છે. હરિવંશમ સોરી અને વીર નામના બે ભાઈ હતા, જેમાં સારીએ સોરાયપુર વસાવ્યું અને વરે વીર વસાવ્યું. સોરીને પુત્ર અંધકવૃણિ હતું જેને ભદ્રા રાણીથી (નેમનાથ ભગવાનના પિતા) વગેરે દસ પુત્ર તથા કુન્તી અને માદ્રી એમ બે પુત્રીઓ જમી. વીરને પુત્ર ઉગ્રસેન થયા. ઉગ્રસેનને બધુ, સુબંધુ અને કંસ વગેરે પુત્ર થયા.” આ સિવાય આગમ ગ્રથ જેવાં કે શ્રી સમવાયાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, આવશ્યકનિયુક્તિ, કલ્પસૂત્ર આદિ સૂત્ર તથા અનેક ચરિત્રગ્રંથમાં શ્રી નેમિનાથ ભગવાનની જન્મભૂમિ શ્રી શૌરીપુરનો, અને તેના વિભવનો સવિસ્તર ઉલેખ મળે છે. આ પ્રદેશમાં જૈનોનું સામ્રાજ્ય હતું. ઉત્તર પ્રાંતમાં પ્રાચીન કાળમાં મથુરા અને શૌરીપુર જૈનપુરી કહેવાતી. આજે આ મહાન નગરીમાં ચેડાં ઝુંપડાં જ વાસ કરે છે. - પુરાણી શૌરીપૂરી તે યમૂનાના તેફાની પ્રવાહમાં તણાઈ ગઈ છે. આજે તે ત્યાં ચોતરફ પહાડીઓ અને ટીંબા ટીલા) ઊભા છે. એક ઊંચી પહાડી ઉપર ન શ્વેતાંબર મંદિર, જૈન વેતાંબર ધર્મશાલા જે ૫-૬ માઈલ દૂરથી દેખાય છે. સફેદ દૂધ જેવું મંદિર દૂરથી બહુ જ આકર્ષક અને રળીયામણું લાગે છે. મંદિર પણ સરસ અને સુંદર છે, પરમશાંતિ અને આનંદનું ધામ છે. વેતાંબર જૈન સંઘે જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી નવું મંદિર બંધાવ્યું છે. મુળનાયક શ્રી નેમનાથજી ભગવાનની શ્યામ પ્રતિમાજી ભવ્ય અને વિશાળ છે. મંદિરની સામે નાની જૂની ધર્મશાલા છે, તેની પાસે બહુ જ ઉડે મીઠા પાણીને કૂ છે, અને તેની નજીકમાં કલકત્તાનિવાસી બાબુ લક્ષમીચંદજી કર્ણાવટના સુપુત્રોએ એક વિશાલ શ્વેતાંબર જૈન ધર્મશાલા બંધાવી છે. અહીં જગદ્ગુરુ આચાર્યશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજ ૧૬૪૦માં યાત્રાએ * * અરિષ્ટનેમિ-જન્મસ્થાન શૌરીપુર, પિતાનું નામ સમુદ્રવિજય રાજ અને માતાનું નામ શિવાદેવી રાણી હતું. કભુ ગર્ભે આવ્યા પછી માતાએ રવમમાં અરિષ્ટ એટલે કાળા રનની રેલ દીઠી તથા આકાશમાં ચક ઉછળતું દીઠું એ પ્રભાવ જાણી પુત્રનું અરિષ્ટનેમિ નામ રાખ્યું હતું તથા બીજું નામ શ્રી નેમિનાથ રાખ્યું હતું. તેમનું દશ ધનુષ્યનું શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય હતું. શ્યામવર્ણ અને સંછન શંખનું હતું, ૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy