SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મેતશિખરજી : ૪૬ : શ્રી સમ્મેતશિખરજી મધુવનથી એક ફર્લાંગ ક્રૂર શ્રી શિખરજી પહાડના ચઢાવ શરૂ થાય છે, હાલમાં આ પહાડને પાર્શ્વનાથ હીલ કહે છે, મધુવનની પેસ્ટ ઍક્સનું નામ પારસનાથ છે. હમણાં ઈસરી સ્ટેશનનું નામ પણ પારસનાથ સ્ટેશન રાખવામાં આવ્યું છે. આ સ્થાન આખા મગાલમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીના લોકો પૂછે છે કાથાઈ જાઈમા' જવાબમાં-પારસનાથ' એટલું કહ્યુ. એટલે ખસ; તમને ભક્તિ અને માનથી બધી અનુકૂળતા કરી આપશે. પહાડ ઉપર છ માઇલ ચઢવાનું છે. વચમાં શાસનરક્ષક દેવીની દેરીએ આવે છે. પહાડ ઉપર ગયા પછી લગભગ અધે રસ્તે માઇલે ગધ નાલુ આવે છે. ત્યાંથી ના માલિ સીતાનાલા-શીતનાલુ આવે છે. ગંધર્વનાલા પાસે શ્વેતાંબર તલાટી “ધમ શાલા છે. અહીં સગવડ સારી છે. શ્વે. જૈન યાત્રીઓને લાડુ અને સેવ યાત્રા કરીને પાછા વળતાં અપાય છે. ગધંનાલાનું જલ મીઠું અને પાચક છે. રાત્રે અહી પહાડના જંગલી પ્રાણીઓ-વાદ્ય વગેરે પ્રાણીએ પાણી પીવા આવે છે. પહાડમાં પહેલા હાથીએ ઘણા રહેતા હતા તેમજ ગેંડા, સામર, રીંછ, વાઘ, શિયાળ વગેરે ઘણાં પ્રાણીઓ રહેતા હતાં. હમણાં શીકારી પ્રાણી ઓછાં થઈ ગયાં છે. તેમ જ વિવિધ પ્રકારના સાપ પણ રહે છે. આખેા પહાડ સુદર :વનરાજીથી લીલેાછમ રહે છે. હરડે વગેરે ઔષધીએ-જડીબુટ્ટીએ પણુ પુષ્કળ થાય છે. બંધાયથી વધારે વાંસ થાય છે. તેમજ ચા અને બીજા સ્વાદીષ્ટ ક્લેના બગીચા તથા ખેતરો પણ ઘણાં છે. અહી લાકડું અને ઘાસ પણ પુષ્કળ થાય છે. પહેડની આવક સારી છે. [જૈન તીર્થાંના ગરમીમાં પણુ દર મહિને એકાદ બે વાર વર્ષાદ પણ જરૂર પડી જાય છે. અને વર્ષાઋતુમાં તેા પહાડ સાથે વાદળાં અથડાય છે. વાદળાંથી પડાય ઢકાઇ જાય છે. ગરમીની ઋતુમાં હજારીબાગ જીલ્રાના કલેકટર અને બીજા ઉપરી અધિકારીએ ઘણી વાર અહી આવે છે. આ પહાડ ઉપર કાઇને પણ શિકાર ખેલવાની–કરવાની સખ્ત મનાઈ છે. અધિકારીએ નિયમ ખરાખર જાળવે છે અને મારામાં જાય ત્યારે પણ જૈન ધર્મના નિયમ પાળે છે. છ માઇલના કઠણુ ચઢાવ ચઢ્યા પછી ઉપર જતાં પ્રથમ જ શ્રી ગણુધરની ડેરીનાં દશન થાય છે. અહીં ચાવીશ ગણધરનાં પગલાં છે. આને ગૌતમસ્વામીની દેરી કહે છે. અહીંથી શ્રી ચંદ્રપ્રભુની ટુક, શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટુક અને મેઘાડંબરની ટુકા તથા જલમંદિર જવાના અને નીચે ઉતરવાના એમ વિવિધ રસ્તાએ નીકળે છે. દેરીની સામે જ શ્વેતાંબરા તરફથી પુરાણી રક્ષગુ ચૂકી છે, જેમાં શ્વેતાંબરા તરફથી જ નેપાલી ચેકીદારા રહે છે. તેઓ થોડા પગારે તીની સેવા ખૂખ નીમકહલાલીથી બજાવે છે, પહાડ ઉપર કુલ ૩૧ મદિરા છે, જેમાં ચાવીથ તીર્થંકરની ચેાવીશ દેરીએ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy