SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૪૬૪ : પાવાપુરી [ જૈન તીર્થોનો પંચરાત્રી નિવસે સા ચિ૦ નરનારીના વૃન્દ, જી. દાનપુણ્ય પૂજા કરે ચિ૦ જનમ સફળ કરે નંદ, ૧૧ પાવાપુરીની મહત્તાસૂચક નીચેના પ્રાચીન પદ્યો ખાસ મનનીય છે. જલમદિરમાં કેટલી મૂર્તિઓ હતી તે આજથી ત્રણસો વર્ષ પહેલાં યાત્રાએ આવેલ વિદ્વાન અને સાધુ શું લખે છે તે પણ જુએ. "કનક કમલ પરિય તક પાય પાવાપુરી આવઈ જિગુરાય. ૭૨ ઇન્દ્રભૂતિ પ્રમુખ ઈચ્ચાર યજ્ઞકર્મ કરઈ તેણીવાર; સઈ ચેમાલીસ બ્રાહ્મણ મિલ્યા મિશ્યામતિ મહઈ ઝલહલ્યા. ૭૩ મન અભિમાન ધરી આવી આ નામ લઈ જિન બોલાવી; મન સંશય ટાલઈ જિણવરૂ દઈ દીક્ષા થાખ્યા ગણધરૂ. ૭૪ સંઘ ચતુર્વિધ થાપી તામ વિચરઈ દેસ નયરપુર ગ્રામ; ભવિકજીવ પ્રતિબંધિ કરી, અનુક્રમઈ આઈ પાવાપુરી. ૭૫ જીવિત વરસ બહુતી જાણ પુણ્ય પાપ ફળ કહઈ સુજાણ, પધાન અધ્યયન મનિ ભાઈ ધિર મુગતિ પહેતા શ્રી મહાવીર. ૭૬ ગૌતમસ્વામી કેવલ વરઈ ચોસઠી ઈન્દ્ર મહેચછવ કરઈ, સંઘ ચતુવિધ હર્ષ અપાર જમમાં વન્ય જયજયકાર. ૭૭ વીર જિણસર ગણુધરવાદ, પૂછ પગલાં તિહાં પ્રાસાદ, મુગતિ પહાંતા જીહાં જિન વલી, પૂજી જઈ પગલાં નીરમલી. ૭૮ સરોવરમાંહી શુદ્ધ વિહાર, જાણે ભવિયણને આધાર, જિનપ્રતિમા પંચ પગલાં હવે પૂજી ઘણી કીજઈ સેવ. ૭૯” (વિજયવિરચિત સમેતશિખરતીર્થમાલા પૃ. ૩૧ ) “ કનક સરોવર વીચ છે, ચિ. જીવયોનિની રાસ; જી પિણ કઈ વધ નવિ કરે ચિ. અમર દેવની ભાસ, જી ૯ આ તીર્થને છેલ્લો ઉદ્ધાર હાલમાં જ બિકાનેરનિવાસી પુનમચંદજી શેઠી આ તરફથી જલમંદિરને આરસમય બનાવી થશે છે. તેમની તરફથી મંદિર નિમિત્તે સવા લાખ રૂપીઆ ખર્ચાયા છે. કેરખાનું અને તળાવથી મંદિરની સડકનો પુલ બાંધવા માટે રૂા. પાંસઠ હજાર મુંબઈનિવાસી બાબુ પન્નાલાલજી તરફથી ખર્ચાવાના છે. આ દેરાસર નિરખતાં જ તાજમહાલ યાદ આવે છે. જેનું તાજ કહીએ તે પણ ખોટું નથી. પૂર્વના સવે તીર્થો પૈકી આ તીર્થની વ્યવસ્થા, ઉજવલતા વગેરે પ્રથમ પંકિતની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy