________________
ઇતિહાસ ] : ૪ર૧ :
મુકતા ગિરિ પ્રવેશતાં સામે જ માણેકથંભ પાસે શ્વેતાંબર તીર્થંરક્ષક પેઢી આવે છે. પછી નાના દ્વારમાં થઈ ભેંયરામાં ઉતરી પ્રભુજીનાં દર્શન થાય છે. - શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી જવા ઈચ્છનાર શ્રાવકોએ આકેલાથી ૪૩ માઈલ ફર માલેગામ મોટરમાં જવું અથવા બીજા વાહને પણ મળે છે. ત્યાંથી ૪ માઈલ દૂર કાચા રસ્તે સીરપુર જવાય છે. ત્યાં તીર્થસ્થાન અને શ્વેતાંબર ધર્મશાલાઓ પેઢી વગેરે છે. વ્યવસ્થા ઘણી જ સારી છે. ખાસ તીર્થયાત્રાને લાભ લેવા જેવું છે.
અહીં અત્યારે સુંદર ન મંદિર છે. મૂળનાયક શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની ભવ્ય મનહર વિશાલ શ્યામ મૂર્તિ છે-લેપ છે. ડાબી બાજુ બીજી ત્રણ મતિઓ છે. પાસે મેળામાં એક મૂર્તિ છે. અંધારા ભોંયરામાં આ મૂતિઓ હેવાથી શિલાલેખ વગેરે જોયા નથી. ગામ બહાર જૂનું વેતાંબર મંદિર છે, બગીચે છે. મૂલ મંદિરના ઉપરના ભાગમાં સારું છે. બહારના ભાગમાં ચેક ઉપર માણેકસ્થંભ છે.
મુક્તાગિરિ આ તી વરાડમાં આવ્યું છે. અમરાવતીથી ૩ર માઈલ દૂર એલચપુર અને ત્યાંથી માઈલ દૂર ગામ છે, ત્યાંથી ૧ માઈલ દૂર મુક્તાગિર પહાડ છે. લગભગ એક માઈલનો ચઢાવે છે. આ તીર્થની સ્થાપના શ્રીપાલે શ્રી મદ્ભધારી અભયદેવસૂરિજીના હાથથી કરાવી હતી. આ રાજાએ અંતરીક્ષ પાર્શ્વનાથજીના તીર્થની સ્થાપના કરી અને સિરપુર શહેર વસાવ્યું, એ જ રાજાએ એલચપુર વસાવ્યું અને મુક્તાગિરિ તીર્થ સ્થાપ્યું. ભૂલનાયકશ્યામરંગની શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી છે.
એ તરફ શ્વેતાંબર શ્રાવકોની વસ્તી થોડી છે. એલચપુરમાં સુંદર તામ્બર જિનમંદિર છે. મુક્તાગિરિ તીર્થની યાત્રા અમે કરી આવ્યા છીએ. વિ. સં. ૧૯૩૮ સુધી તે શ્વેતાંબર સવાલ શેઠ માણેકચંદ ડાહ્યાભાઈ જેની તેની વ્યવસ્થા રાખતા હતા. મૂલનાયક તે વેતાંબરી છે. ચેતરફ ફરતી નાની નાની દેરીઓ છે. વેતાંબર જૈન વસ્તી થોડી હોવાના કારણે વે, વ્યવસ્થાપકેએ પિતાની ઉદારતા અને મહાનુભાવતાથી દિ. ભાઈઓના હાથમાં વ્યવસ્થા સોંપી છે.
મુકતાગિરિ તીર્થ શ્વેતાંબર સંઘનું જ છે એમાં તે લગારે સિહ જ નથી. પં. શ્રી શીતવિજયજી કે જે અઢારમી સદીના પ્રખર વિહારી અને યાત્રા કરનાર છે તેઓ લખે છે કે
શેત્રુંજ રૈવત અરબુદગિરી, સમેતાચલનિં મુગતાગિરી પાંચે તીરથ પરગટ ઉદાર, દિન દિન દીપઈ મહીમા ધાર
ધન ધન નરનારી વલી જેહ, પ્રભુમિ પૂછ તીરથ એહ છે ૫૦ * આલામાં ૧ શ્વેતાંબર મંદિર, ધર્મશાળા, ઉપાશ્રય તથા શ્રાવકોના ઘર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com