________________
તિહાસ ]
: ૪૦૯ :
અમીઝરા
દેવીના સ્થાને જઈ રૂકમણી સાથે લગ્ન કર્યું હતું અર્થાત્ આ નગર પ્રાચીન છે. અહી રાકેશઢ રાજાઓનું રાજ્ય હતું. એમણે સન ૧૯૧૪ માં અહીંની અંગ્રેજોનો છાવણીમાંના કેટલાક અ ંગ્રેજોને મારી નાંખ્યા અને છાવણીને આગ લગવી દીધી તેથી અંગ્રેજ સરકારે આ ઠાકરને ફાંસીએ દીધા અને રાજ્ય સિન્ધીયા નરેશને સાંધ્યું. સિધિયા નરેશે આ નગર આમાદ કર્યું. અહીંના જૈનમંદિરની ચમત્કારી મૂર્તિના નામથી શહેરનુ નામ અમીઝરા રાખ્યું અને એ જ નામને એક જીલ્લા મનાન્યેા.
શહેરની વચ્ચેવચ એક સુંદર ભવ્ય જિનમદિર છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વ નાથજીની ત્રણ હાથ માટી વિશાલ મૂર્તિ છે. આ સિવાય શ્રીચંદ્રપ્રભસ્વામીજીની પણ સુદર મૂર્તિ છે. ખીજી એ શ્યામવર્ણી પ્રતિમાઓ છે.
આ મંદિરમાં ભગવાન ઉપરથી એક વાર ખૂબ જ અમી ઝર્યું. કહે છે કે ડબાના ડબા ભરીને ખાલી કરે પણ અમી ઝરવા જ માંડયુ. ત્ર દિવસ લાગઢ આવી રીતે અમી ઝર્યું હતુ. અહીં ૩૬ હાથનું સુંદર ભાંયરું છે. મૂલનાયકજી ઉપર લેખ આ પ્રમાણે છે.
" संवत १५४८ माघकृष्णे तृतीयातिथौ भौमवासरे श्रीपार्श्वनाथबिंबं प्रतिष्ठितं प्रतिष्ठाकर्त्ता श्रीविजय सोमसूरिभिः | श्री कुन्दनपुरनगरे श्रीरस्तु ।। " આ સિવાય નીચેનાં સ્થાનામાં પણ અમીઝરા પાર્શ્વનાથજીની પ્રાચીન મૂર્તિઓ છે.
૧. ખેડામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનુ મંદિર છે. આ મૂર્તિ રૂપાલમાંથી નીકળી છે. ખેડામાં ૧૮૭૧ માં શ્રાવણુ શુદિ ૬ નારાજ શ્રી પુણ્યરત્નસૂરિએ પ્રતિષ્ઠા કરેલી છે. ભગવાનના શરીરમાંથી અમી ઝરતુ માટે અમીઝરા પાર્શ્વનાથજી કહેવાયા છે. અત્યારે પણ કદી કદી અમી ઝરે છે.
૨. કુવા ગામમાં છે, ત્યાં દર વર્ષે માટે મેળા ભરાય છે.
(૩) થરાદ ( ૪) ખેરાલુ ( ૫ ) સાણુંદમાં ( આ પ્રતિમાજી સ, ૧૪૦૦ માં પ્રતિષ્ઠિત છે. ) ગીનાના પહાડ ઉપર ભેાંયરામાં ઘણા જ ચમત્કારી અમીઝરા પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ( ૬ ) વડાલીમાં પણ અમીઝરાજી હતા (૭) ગંધારમાં પણ શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનું ભવ્યમ દેર છે અહીં પણ અમી ઝરે છે. (૮) સિદ્ધાચલજી ઉપર પણ અમીઝરા પાર્શ્વનાથજી બહુ ચમત્કારી છે. (૯) ગેલવાડ જીલ્લામાં ખેડામાં પણ અમીઝરા પાર્શ્વનાથજી છે.
અમીઝરા પાર્શ્વનાથજી મૂર્તિ બહુ ચમત્કારી અને પ્રભાવિક છે.
બુરાનપુર
નીમાડ પ્રાંતનાં પ્રસિદ્ધ એ તીર્થો સાથે બુરાનપુરના દૂક પરિચય જરૂરી ધારી આપ્યા છે.
પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com