________________
પાલીતાણા
: - ઃ
[ જૈન તીર્થોના
૪. શે. નરશી કેશવજીની ધર્મશાળામાં ચામુખજીનું મંદિર
સ. ૧૯૨૧ ની શેઠ નરશી કેશવજીની અંજનશલાકા સમયે આ દેહરાસરજીમાં ચામુખજીની પ્રતિષ્ઠા થઇ છે. વ્યવસ્થા શેઠ જેઠુભાઇ નરસીભાઇ તરફથી ધર્મશાલાના મુનિમજી કરે છે. નરશી કેશવજીની ધર્મશાલામાં આ ચામુખજીનું મંદિર છે, ૫. ચ’દ્રપ્રભુનું મંદિર
શેઠ નરશી નાથાની ધર્મશાલામાં આ મંદિર છે. સ. ૧૯૨૮ માં શેઠજીએ મંદિરજીની સ્થાપના કરી હતી. ધર્મશાલાના મુનિમજી શેઠજી તરફથી વ્યવસ્થા રાખે છે. ૬. શ્રી મહાવીરસ્વામીનું યાને પાઠશાલાનું મંદિર
શેઠ કેશવજી નાયકની ધર્મપત્ની વીરબાઇએ શ્રી સંઘના પઢનપાઠન માટે જે પાઠશાલા ખંધાવી ત્યાં જ અંદરના ભાગમાં દેહરાસરજી બંધાવી સ. ૧૯૫૪માં પ્રતિષ્ઠા કરાવી છે. વ્યવસ્થા કમીટીની છે. સંભાળ મુનીમજી રાખે છે. મૂલનાયકજી શ્રી મહાવીરસ્વામી છે.
૭. મેાતીસુખીયાનું મંદિર
શ્રી આદીશ્વર પ્રભુનું યાને મેાતીસુખીયાની ધર્મશાલાના દહેરાસરજીની સ ૧૯૫૪માં સુખીવાળા શેઠાણી મૈતીકુંવરે પ્રતિષ્ઠા કરાવી છે. શિખરબંધ નાજુક મંદિર છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. વ્યવસ્થા માટે ટ્રસ્ટ ફ્રેંડ છે, ૮. શ્રી પાર્શ્વનાથજીનું યાને જસકુ ંવરનું મ ંદિર
સુરતનિવાસી શેઠાણી જશકુવરે પોતાની ધર્મશાલામાં અંદરના ભાગમાં વિશાલ કપાઉન્ડમાં શિખરબંધ મંદિર બંધાવી સ. ૧૯૪૯માં પ્રતિષ્ઠા કરાવી છે. મૂલનાયકજી શ્રી પાર્શ્વનાથ પ્રભુજી છે. મદિર વિશાલ અને સરસ છે. શેઠ આ. ક.ની પેઢી વ્યવસ્થા રાખે છે.
૯. સાચા દેવનું યાને માધવલાલ ભાજીનું મંદિર
કલકત્તાનિવાસી ખાણુશ્રી માધવલાલ દુગડે ૧૯૫૮માં ધર્મશાલા ખધાવી અને પાછળના ભાગમાં શિખરબંધ મિઠેર બધાવી એ જ સાલમાં પ્રતિષ્ઠા કરી. મૂલનાયક શ્રી સુમતિનાથજી ભગવાન છે. વ્યવસ્થા બાબુજી તરફથી મુનિમજી રાખે છે. ૧૦. ગુરુકુળ મંદિર
પાલીતાણા સ્ટેશન સામે જ શ્રી ય. વિ. જૈન ગુરુકુલમાં ભવ્ય મદિર છે. મૂલનાયક શ્રી સુમતિનાથજી સંપ્રતિ રાજાના સમયના પ્રાચીન છે. સસ્થાની સ્થાપનાના સમયથી જ મંદિરજીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાથે જ મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજની ભવ્ય મૂર્તિ, ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજની ભવ્ય મૂર્તિ તથા સરસ્વતી દેવીની મૂર્તિ ખાસ દર્શનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com