________________
શ્રી કેસરીયાજી
: ૩૭૬ :
[ જૈન તીર્થોને ખંડેરે જેનાર હેજે કલ્પના કરે છે કે અહીં એક સમયે સંખ્યાબંધ મંદિર છેવાં જોઈએ. ચિત્તોડના કિલાથી ૭ માઈલ ઉત્તરમાં “નગરી' નામનું એક પ્રાચીન સ્થાન છે. આ સ્થાનમાં પડેલાં ખડેરો ઘડેલા પત્થરો અને અહિંથી મળેલા શિલાલેખે તથા સિકકાઓ ઉપરથી રાયબહાદુર પંડિત ગૌરીશંકરજી ઓઝા, આ સ્થાન પર એક મોટી નગરી હોવાનું અનુમાન કરે છે. તેમનું તે કથન છે કે-આ નગરી નું પ્રાચીન નામ મધ્યમિકા હતું, અજમેર જીલ્લાના બલી ગામથી મળેલ વીર સંવત ૮૪ના શિલાલેખમાં મધ્યમિકાને ઉલ્લેખ આવે છે “મધ્યમિકા” નગરી ઘણી પ્રાચીન નગરી હતી. અહીં પણ સંખ્યાબંધ મંદિરો હોવાનું અનુમાન થઈ શકે છે. આવાં અનેક સ્થાને હજુ પણ મેવાડમાં મૌજુદ છે અને ત્યાં એક સમયે અનેક મંદિરો હોવાનું અનુમાન થઈ શકે છે. અત્યારના એ વિદ્યમાન મંદિરની પ્રાચીનતા, વિશાળતા અને મનેહરતા જોતાં જ એમ જ કહેવું જોઈએ કે મોટાં મેટાં તીર્થસ્થાનેને ભુલાવે એવાં તે મંદિર છે. એ મદિરના સંબંધમાં અનેક પ્રકારની ચમત્કારિક વાતે આજે પણ પ્રચલિત છે.
મહાદુઃખને વિષય છે કે આવાં પ્રાચીન, ભવ્ય, તીર્થ સમાન મંદિર અને મૂતિયે હેવા છતાં એ સ્થાને માં એના પૂજનારા કેઈ રહ્યા નથી. એવાં મંદિરનાં જે પૂજનારા હતા તે કાલકમે ઘટી ગયા અને જે રહ્યા છે તેઓ બિચારા બીજા ઉપદેશકોના ઉપદેશથી અંજાઈ પ્રભુ-ભકિતથી વિમુખ થઈ બેઠા છે. પરિણામે બચ્યાં બચાવ્યાં એ મંદિરો અને મૂર્તિઓ પણ વેરાન-નિર્જન અવસ્થાને ભોગવી રહ્યાં છે. કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે કે-કેઈ મંદિર યા મૂતિને મહિમા એના ઉપાસકે-પૂજનારાઓ ઉપર રહેલા છે. અસ્તુ.
મેવાડની આવી હીનાવસ્થામાં પણ આજે એવાં અનેક સ્થાને છે કે જે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે અને જ્યાં જવાથી ભવ્યાત્માઓને જેમ અપૂર્વ આહૂલાદ થાય છે એવી જ રીતે શોધખોળ કરનારાઓને અનેક પ્રકારની અતિ હાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે, મેવાડમાં હિંદુઓના જેમ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે, તેવી જ રીતે જેનેનાં પણ પાંચ તીર્થો પ્રસિદ્ધ છે. તેને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે –
શ્રી કેસરીયાજી મારવાડમાં મુખ્ય તીર્થસ્થાન શ્રીકેશરીયાજી છે.
શ્રી કેશરીયાજી તીર્થ ધૂલેવા ગામમાં આવેલું છે. આ સ્થાન ઉદયપુરથી લગભગ ૪૦ માઈલ દૂર છે. ગામમાં પંડાઓની વસ્તી ઘણું જ વધારે સંખ્યામાં છે. આ જિનતીર્થ ઉપર જ તેઓ નભે છે. ઉદેપુરથી કેશરીયાજી જતા વચમાં ૯ ચોકીઓ આવે છે. રસ્તે એકાન્ત પહાડી જંગલને બીહામણે છે, તેથી ચેકી માટે ભીલ લો કે સાથે આવે છે. દરેક ચેક દીઠ ચાર ચાર આના આપવા પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com