SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ આજૂ-અચલગઢ : ૨૬ : [ જૈન તીર્થોને શ્રી તેજપાળ મંત્રીએ સ્તંભતીર્થ (ખંભાત)માં ઉત્પન્ન થએલું, આંખને અમૃતાંજન સમાન અને કષાયેલા પત્થરનું બનાવેલું બિંબ ત્યાં સ્થાપન કર્યું. (૪૪) રાજા શ્રી સેમદેવના આદેશથી ત્યાં હસ્તિશાળામાં પિતાના પૂર્વ વંશની મૂર્તિઓ પણ સુવર્ણાક્ષરે આલેખાયેલી છે. પુપહિત કવિશ્રી સોમદેવે રચેલી “કીર્તિકૌમુદી” તેમજ - ચાર્યોએ રચેલા “વસ્તુપાળ-તેજપાળ ચરિત્ર” “વસંતવિલાસ” “ સુકૃતસંકીર્તન” “પ્રબંધચિંતામણી” “ પ્રબંધકેશ' વગેરે ગ્રંથેથી તેમનાં યશસ્વી કાર્યોની નોંધ મળે છે. વસ્તુપાળ તે એક વિદ્વાન કવિ પણ હતા તેમ તેમનાં રચેલા “નરનારાયણુનન્દ” કાવ્ય ઉપરથી જાણી શકાય છે તેથી તેઓ સરસ્વતી દેવીના ધર્મપુત્ર તરીકે ઓળખાતા. જ્યારે તેજપાળ શુરવીર યોદ્ધા તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ બંને ભાઈઓ હતા. તેમના પૂર્વજોમાંના પ્રાગ્વાટ ચંડપ બારમા સૈકામાં અણહિલપુરપાટણમાં રહેતા અને ચૌલુક્ય રાજાના મંત્રી હતા. તેમના પુત્ર ચંડપ્રસાદ પણ મંત્રી હતા. તેમને શૂર (સુર ) અને સેમ (સેમસિંહ) નામના બે પુત્રો હતા. તેમાં સેમસિંહ સિદ્ધરાજના મંત્રી હતા. આ સામસિંહને આસરાજ નામે પુત્ર હતો. આ આસરાજે કુટુંબ સહિત પાટણ છોડી સંહાલકમાં વાસ કર્યો હતો. અહીં તેઓ વ્યાપારાદિ કાર્યો કરતા. તેમને ચાર પુત્ર અને સાત પુત્રીઓ હતી. તે પુત્રોનાં નામ લુણિગ, મલ્વેદેવ, વસ્તુપાળ અને તેજપાળ હતા. લુણિગ રાજકારભારમાં કુશળ અને શુરવીર હતો, પણ નાની વયમાં જ સ્વર્ગવાસી થયો. મલ્લદેવ પણ તે જ કુશળ અને શુરવીર હતો. મંત્રીશ્વર વસ્તુપાળ તેજપાળે સવાલાખ જિનબિંબ ભરાવ્યાં. શત્રુંજય ઉપર અઢાર ક્રિોડ, છનુ લાખ, ગિરનાર ઉપર એક ક્રોડ, એંશી લાખ, આબૂછ ઉપર બાર દોડ, તેપન લાખ દ્રવ્ય વાપર્યું. નવસે ચોરાશી પૌષધશાળા કરાવી, પાંચસો દાંતના સિંહાસન, પાંચસો જાદરન (ધાતુવિશેષનાં) સમવસરણ, સાતસો દાનશાળા, તેરસો ચાર શિખરબદ્ધ જિનમંદિર, વીશ સે જિનમંદિરનો જીર્ણોદ્ધાર, અઢાર ક્રેડ સેનામહોરે ખર્ચા ત્રણ શાનમંદિર ક્ય, વર્ષમાં ત્રણ વાર સંઘપૂજા કરતા, તેર વાર સંધપતિ થઈ સંઘ કાઢયા, આ સિવાય જૈનેતર ધર્મસ્થાનકે, દાનશાળાઓ વગેરે ઘણું બનાવ્યાં છે. કુલ ત્રણ અબજ, અઢાર લાખ, અઢાર હજાર, સાતસો સત્તાણું સિક્કા ખર્ચા. ત્રેસઠ યુદ્ધો થયાં અને અઢાર વર્ષ વ્યાપાર કર્યો હતો. આ લુસિગવસહી નામનું મંદિર મહામંત્રી તેજપાળના પુત્ર લાવણ્યસિંહના કલ્યાણ માટે તે વખતના ગુજરાતના રાજાના મહામંડલેશ્વર આબૂના પરમાર રાજા સોમસિંહની આજ્ઞા લઈને આબુના દેલવાડા ગામમાં વિમળવસહીની પાસે જ બાર ક્રોડ ગેપન લાખ (૧૨પ૩૦૦૦૦૦) રૂપિયાનો ખર્ચ કરીને લુણવસહી (લુણીગવસહી) નામનું શ્રી નેમિનાથ પ્રભુનું ભવ્ય મંદિર બંધાવ્યું. આ મંદિરની કરણી હિંદની કળાની ગૌરવભરી યાદ આપે છે. (૨૬) આ મૂર્તિ મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ પ્રભુની ખંભાતથી લાવીને મૂકવામાં આવેલી છે અને તેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર ગ૭ના હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિજી પાસે મહોત્સવપૂર્વક સં. ૧૨૮૭ના ચૈત્ર વદી ૭ ને રવિવારે કરાવવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy