________________
ઇતિહાસ ] : ૧૯૫ :
તારંગા જેથી ગુરુમહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજી પાસે આવી તેનું પ્રાયશ્ચિત્ત માંગ્યું ત્યારે ગુરુમહારાજે જણાવ્યું કે-બત્રીશ દાંત છે તે તેના પ્રાયશ્ચિત્તરૂપે તારંગદુર્ગ ( તારંગાજી ) ઉપર બત્રીશ માળનું મંદિર બંધાવે. ( આ પ્રાયશ્ચિત્ત માટે બત્રીશ મંદિર બંધાવવાનું સૂરિજીમહારાજ કુમારપાલને જણાવ્યું છે. અને રાજાએ બત્રીશ મંદિર જુદે જુદે સ્થાને બંધાવ્યાને ઉલ્લેખ પણ મળે છે. આવો અન્ય મત પણ પ્રવર્તે છે. ) રાજાએ આ પ્રાયશ્ચિત્ત સહર્ષ સ્વીકાર્યું અને બાવન દેવકુલિકાવાળે બત્રીશ માળને ભવ્ય જિનપ્રાસાદ કરાવ્યો. મંદિરજીમાં રીષ્ટ રત્નમય ૧૨૫ આંગુલની શ્રી અજિતનાથ પ્રભુજીની મૂર્તિની પ્રતિષ્ઠા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીના હાથથી વિ. સં. ૧૫૨૧ માં કરાવી.
પરન્તુ પ્રબન્યચિન્તામણિમાં મેં ઉપર કોંસમાં જણાવેલ બીજા પ્રક્વેષનું સમર્થન છે. જુઓ “ રાજાને ઘેબર ખાતા માંસાહારની સ્મૃતિ થઈ આવી છે. જેના પ્રાયશ્ચિત્તરૂપે બત્રીશ મંદિર બંધાવવાનું ગુરુમહારાજે જણાવ્યું છે, અને રાજાએ તે સ્વીકાર્યું છે. ” કુમારપાલપ્રતિબંધમાં બત્રીશ મંદિર બંધાવ્યાનું લખ્યું છે તેમાં પ્રથમ તે પાટણમાં કુમારવિહાર બંધાવ્યું, બાદમાં ત્રિભવનવિહાર બંધાવ્યું. આ ઉપરાંત પાટણમાં બીજા વીશ મંદિર બંધાવ્યાં. ( બત્રીશની સંખ્યા મળી રહે છે ) મહરાજપરાજયમાં પણ ઉલ્લેખ છે કે-આ પ્રાયશ્ચિત્તમાં રાજાએ બત્રીશ મંદિર બંધાવ્યાં હતાં.
પ્રભાવક ચરિત્રમાં ઉલ્લેખ છે કે-રાજાએ પૂર્વે જે માંસાહાર કર્યો હતો તેના પ્રાયશ્ચિત્તમાં બત્રીશ દાંત તેડી પડાવવાની રાજાની ઈચ્છા હતી, પરંતુ ગુરુમહારાજે તેમ કરાવવાની ના કહી અને કહ્યું કે-એક વાર દેહને કષ્ટ આપવાથી કૃતકમનો નાશ થાય; પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહંત ધર્મની ઈચ્છાથી પવિત્ર મનવાળા થઈને ધમરાધન કર કે જેથી સમસ્ત પાપરૂપ પક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે માટે પાપથી મુક્ત થવા માટે ઉપવનમાં મનહર બત્રીશ ચિત્યા કરાવ. તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકૃત નિમિત્તે મેરુશિખર સમાન એક ઉન્નત જિનશ્ચય કરાવ.
ઉપરનાં પ્રમાણે આપણને બે વસ્તુ સ્પષ્ટ દર્શાવે છે કે–તારંગાજી ઉપર મહારાજા કુમારપાલે સુંદર ઉન્નત ભવ્ય જિનમંદિર બંધાવી એમાં શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ મંદિર બંધાવવા માટે માંસાહાર ભોજનની સ્મૃતિના પ્રાયશ્ચિત્તનું નિમિત્ત નથી. એ નિમિત્તે તે બીજા બત્રીશ જિનમંદિર બંધાવ્યાં છે.
ઉપદેશતરંમણીમાં ઉલ્લેખ છે કે “ તારંગામાં મહારાજા કુમારપાળે ભવ્ય જિનમંદિર બંધાવી શ્રી અજિતનાથ પ્રભુની મૂર્તિ બિરાજમાન કરી.” (રત્નમંદિરમણિ )
* તેમજ વીરવંશાવલીમાં લખ્યું છે કે “ વિ. સં. ૧૨૨૧ વર્ષે તારણગિરીઈ શ્રી - અજિતનાથ બિંબ થયું. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com