________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી : ૧૬૪
[ જૈન તને વડગામ પંચાસરથી કા માઈલ દૂર, અને દસાડાથી ૪ માઈલ દૂર આ ગામ એક ઊંચા ટેકરા ઉપર વસેલું છે. દૂરથી મંદિરનું શિખર દેખાય છે. મૂળનાયક શ્રી આલીશ્વરભગવાન છે. અહીં મંદિરમાં એક હજાર વર્ષથી અખંડ દીપક બળે છે એવી દન્તકથા છે. આ ઉપરથી એમ તે લાગે છે કે ગામ પ્રાચીન હશે. છેલ્લે જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૦૫માં થયો છે. અને તે વખતે પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં અત્યારે શ્રાવકેનાં ૪ ઘર છે. ઉપાશ્રય છે તેમજ ધર્મશાળા છે. તીર્થ અવશ્ય યાત્રા કરવા લાયક છે.
ઉપરીયાળા પાટડીથી પૂર્વ દિશામાં સાત માઈલ દૂર ઉપરીયાળા તીર્થ આવ્યું છે. વીરમગામથી પગરસ્તે ૮ થી ૯ ગાઉ દૂર થાય છે તેમજ વિરમગામથી ભાવનગર તરફ જતી B. S. રેલ્વેના ઝુડપુર સ્ટેશનથી શા માઈલ દૂર ઉપરીયાળા આવ્યું છે. બજાણા સ્ટેટનું આ ગામ છે. - અહીં શ્રી ઋષભદેવ ભગવાનનું શિખરબંધ સુંદર જિનમંદિર છે. વિ. સં, ૧૯૧૯ માં શ્રી ઋષભદેવજી વગેરે ત્રણ મૂર્તિઓ પીળા આરસની અને એક મૂર્તિ શ્યામ આરસની એ ચારે મૂર્તિઓ જમીનમાંથી નીકળી હતી. અઢારમી શતાબ્દીમાં બનેલી તીર્થમાળાઓમાં ઉલ્લેખ છે કે-અહીં દેરાસર હતું, એટલે આ મૂર્તિ આ મંદિરની જ હોવાની સંભાવના છે.
મંદિર પરમ સુંદર અને શાંતિનું ધામ છે. મૂર્તિઓ પણ પરમ વૈરાગ્યપ્રદ અને આહલાદક છે. અહીં કારખાનું ને નાની ધર્મશાળા છે. હમણું સુંદર આલેશાન જૈન ધર્મશાળા બની રહી છે.
સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરે આ તીર્થનો ઉન્નતિ માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતે. અને દર વર્ષે ફા. શુ. ૮ ને મોટો મેળે ભરાય તે માટે વ્યવસ્થા કરી હતી. અત્યારે પણ ફ. શુ. ૮ મે મેળો ભરાય છે. સંઘો આવે છે અને યાત્રિકો લાભ કર્યો છે. અત્યારે આ. શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજ પણ આ તીર્થની ઉન્નતિ માટે બહુ જ સારે પ્રયત્ન કરે છે. - અત્યારે તીર્થને વહીવટ શ્રી વિરમગામના સંઘમાંથી નીમાયેલી કમિટી કરે છે. તીર્થયાત્રાને લાભ લેવા જેવે છે.
આ સાથે જ અહીં આસપાસ આવેલાં મોટાં ગામોને ટૂંક પરિચય પણ જોઈ લઈએ,
વીરમગામ ૪૦૦ ઘર જેનેનાં; છ ભવ્ય જિનમંદિર, ૭ થી ૮ લગભગ ઉપાશ્રયે, શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com