________________
શ્રી શત્રુજય
: ૮૨ :
[ જૈન તીર્થોને શિખરે જોડાઈ જાય અને એક સુંદર દેવનગર બની શકે. આ વાત તેમણે પોતાના મિત્ર શેઠ હેમાભાઈ, શેઠ હઠીસિંધુ વગેરેને કરી, મિત્રોએ આ વાત તદ્દન અશક્ય બતાવી તેમજ પૂર્વે થયેલા મોટા મોટા રાજા-મહારાજાઓ અને શ્રીમંતે પણ આ કામ કરાવી શક્યા નથી પછી તમારાથી કેવી રીતે બની શકશે? પણ શેઠ મોતીચંદ મક્કમ વિચારના હતા હિન્દ અને હિન્દ બહાર ધમધોકાર તેમને વ્યાપાર ચાલતે અને ધનની કમી ન હતી. તેમણે કહ્યું મારે ત્યાં સિસાની પાર્ટી અને સાકરના કેથળા છે તેનાથી આ ઊંડી ખાઈ ભરી દઈ ઉપર નલિની ગુલ્મ વિમાનના આકારનું સુંદર મંદિર બંધાવવું છે. શેઠે પિતાના વચન પ્રમાણે ચાર વર્ષના ભગીરથ પ્રયત્ન પછી અઢળક ધન ખર્ચ તે ખાડે પુરાવી દીધું. અને વિ. સં. ૧૮૯૨ માં મંદિરનું ખાતમુહર્ત કર્યું. તેમની ઈચ્છા હતી કે મારા હાથે જ પ્રતિષ્ઠા કરું પણ ભાવિના ગર્ભમાં શું છે તે કોણ જાણી શકે તેમ હતું? શેઠના મંદિરજીની આસપાસ અમદાવાદવાળા શેઠ હઠીસિંહ કેસરીસિંહ, અમરચંદ દમણીએ, મોતીશા શેઠના દિવાન શેઠ પ્રતાપમલ્લજીએ શેઠના મામા, શેઠ વીરચંદ ભાઇચંદ ધોલેરાવાળા, પારેખ કીકાભાઈ, ફૂલચંદ, નાનજી ચીનાઈ, ગગલબાઇ, પ્રેમચંદ રંગજી, તારાચંદ નથુ, જેઠા નવલશા શેઠ કરમચંદ પ્રેમચંદ, પારેખ સ્વરૂપચંદ હેમચંદ, જેચંદ પારેખ વગેરેના મળીને મોટાં સેળ દહેરાસર તે જ વખતે બંધાયાં હતા.
મંદિરની પ્રતિષ્ઠા પહેલાં જ શેઠ મોતીશા સ્વર્ગવાસી થયા. ત્યારબાદ તેમના પુત્ર ખીમચંદશેઠ મેટ સંઘ લઈને સિદ્ધાચલજી આવ્યા. કહે છે કે આ વખતે બીજા બાવન સંઘવીઓ સાથે હતા. સં. ૧૮૯૩ ના મહા વદિ બીજે આ ભવ્ય મંદિરમાં શ્રી રાષભદેવ પ્રભુની પ્રતિષ્ઠા થઈ તે વખતને અંજનશલાકા પ્રતિષ્ઠા વિધિવિધાન ઉત્સવ બહુ જ રમણીય અને દર્શનીય હતું. ત્યાર પછી આ અપૂર્વ ઉત્સવ પાલીતાણે થયા નથી એમ જનતા કહે છે. મેતીશા શેઠના આ ઉત્સવને કવિરાજશ્રી વીરવિજયજીએ મોતીશાહશેઠનાં ઢાળીયાં બનાવી અમર કરેલ છે.
આ મંદિર ત્રણ માળનું સુંદર અને વિશાલ છે. ટુંકને ફરતો વિશાલ, ચાર કઠાવાળો કેટ છે. બે બાજુ પળ બનાવી વચે એક બારી મૂકેલી છે જેને રસ્તે સીધે મટી ટુંક તરફ જાય છે.
૧. મુખ્ય મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ ના મહા વદિ બીજે શેઠના સુપુત્ર ખીમચંદ ભાઈના હાથે મૂલનાયક શ્રી કષભદેવજી છે. આ સિવાયને તે વખતના બનેલાં ૧૫ મેટા મંદિરોને પરિચય નીચે પ્રમાણે છે.
૨. શ્રી પુંડરીકસ્વામીનું દેહ શેઠે જ બંધાવ્યું છે. તેની પ્રતિષ્ઠા પણ ૧૮૯૩ માં જ થઈ છે.
૩. ધર્મનાથ પ્રભુજીનું દેહ-અમદાવાદના દાનવીર શેઠ હઠીસિંહ કેસરીસિગે બંધાવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com