SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જોવામાં આવે છે, ઝગડીયા પ્રથમ પાશ્વનાથજીનાં ૧૦૮ જાત્રા લાયક સ્થાનકોમાંનું એક હતું, પણ સંવત ૧૯૨૧ પછી આદેશ્વરજી પ્રગટ થયા, ત્યારથી મુલનાયકછ આદેશ્વર ભગવાન મહાન ચમત્કારીક છે. વિશેષ હકીકત માટે જુઓ પાછળ ઝગડીયા પાર્શ્વનાથ. ૪ ભરૂચ યાને અશ્વાવબેધ તીર્થ. મ હૈિ મુનિસુવ્ર” શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ગતમસ્વામીએ રચેલ જગચિંતામણ ચૈત્યવંદનમાં આ પ્રાચીન તીર્થને ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે કે “ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામી.” એજ ભરૂચ શહેરની પુરાતનતા સુચવે છે. વિશમાં તીર્થકર મુનિસુવ્રત સ્વામીને મેક્ષ ગયાં પણ આજે કંઈક ન્યુન લગભગ બારલાખ વરસ થવા આવ્યાં છે. તે પહેલાંનું આ ભરૂચ શહેર છે. મુનિસુવ્રત સ્વામી એક દિવસમાં સાઠ જે જન ચાલી વિચરતા વિચરતા એકદા ભરૂચ નગરના કરંટક વનમાં સમવસર્યા, તે વખતે ત્યાંના રાજા છતશત્રુ અને તેને ઘોડે પ્રભુની ધર્મોપદેશનાથી બોધ પામ્યા હતા. એ અશ્વ પૂર્વ ભવે કોણ હતા વગેરે વિશેષ હકીકત જૈન સાહિત્યમાંથી જોઈ લેવી અથવા તે ત્રેસઠ શલાકા પુરૂષચરિત્રમાંથી વશમા તીર્થંકરનું ચરિત્ર જેવું. પ્રભુની દેશનાથી અશ્વ બધા પાપે, તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને પછી તે ધર્મ પરાયણ થઈ આઠમા દેવલેકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy