________________
સદ્દગુરૂલ્ય નમઃ
સર્વ જિનાય નમઃ અમરદસ-કસ્તુરીને રાસ.
દાહરા
આદિનાથ આદે દઈ પ્રણમું જિનવર પાય; મનવંછિત સુખ સાંપડે, આપદ દૂર પલાય. નાભિરાય કુળ ચંદલો, મારૂ–દેવાને નંદ; યુગલા ધર્મ નિવારીને, વર્તાવ્યે આનંદ. જિન વાણું રૂપ ભારતી, કવિજન કેરી માય; પદકજ તેહનાં પ્રણમીને, કરું કવિતા ઉલ્લાસાય. ગોતમ ગણહર મુણધરૂ, પ્રણમું તેહનાં પાય; અંગુઠે અમૃત વસે, દુઃખ દેહગ સહુ જાય સદગુરૂ પદપંકજ" નમી, તેહ તણે સુપસાય; પુણ્યવંત ગુણ વર્ણવું, આણી મન ઉમાય. અથ પુણ્ય ઉપર કહું, અમરદત્ત અધિકાર સાંભળજે નેહે કરી, થાએ જય જયકાર. આળસ નિદ્રા પરહરી, વિકથા ને વિખવાદ, ઉઘે તે સુંઘે મહીક, ન મળે શ્રવણ સ્વાદ. કથા સરસ શ્રોતા સરસ, વક્તા સરસ જે હોય તે રસ આપે એ સ્થા, શિર ધૂણે સહુ કોય.
૧ સરસ્વતી. ૨ ચરણ રૂપી કમળ. ૩ ગણધર. ૪ દુર્ભાગ્યવિયાગ વિગેરેની ચિંતા. ૫ કમળ. ૬ પૃથ્વી. ૭ સાંભળવાનો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com