________________
૯૮
ઢાળ ૩૪ મી [ચેતન! ચેત રે, કામ ન મેલે કેડે–એ દેશી.] ચાર અંગ મળવાં અતિ દુર્લભ, જિનવરજી એમ ભાંખે; તેમાં પણ માનવ ભવ દુર્લભ, કહ્યું એમ પ્રવચન ભાંખે. મુનિવર ભાંખે રે, અમીય સમાણુ વાણું; ભવિજન ! નિસુણો રે, હૈડે અતિ રસ આણી. એ ટેક. ૧ માનવ ભવની દુર્લભતા વિષે, દશ દષ્ટાંતે ભાંખ્યાં; દે પણ ઝંખે એ ભવને, ન્યાય ચોરાશી દાખ્યા. મુ ૨ નવ પદવી મોટી જે ભાંખી, તે પણ માનવ પામે; એમ માનવ ભવને પરસં, અરિહંતે અભિરામે. મુ. ૩ એ ઉત્તમ નર ભવ લહીને, મિથ્યા તિમિર નિવારો કુગુરૂ કુદેવ કુધર્મ છડીને, સમક્તિને ચિત્ત ધારે. મુ. ૪ પંચાસવને અળગા કરીને પંચ સંવર આદરજે,
અષ્ટાદશ પાપ પરિહરીને, ચાર ધર્મ ચિત્ત ધરજે. મુ. ૫ દાન દેતાં કૃપણ નવ બનશે, પચપળા સમ એ માયા; તન જાતાં ધન કામ ન આવે, ધનથી કેઈન પ્રાપ્યા. મુ ૬ ચિત્ત વિત્ત ને પાત્ર વિશુદ્ધ, દેતાં દાતા કહાવે, દાનને દેતાં દેલત વાધે, દાને દરિદ્રતા જાવે. મુ. ૭ અભય સુપાત્ર દાન ઉત્તમ કહ્યાં, જે જીવે એ આપ્યાં, મેઘરથ શાલિભદ્ર પરે તેણે, દુર્ગતિનાં દુખ કાપ્યાં. મુ. ૮ શીલ ધર્મની શીતળ છાયા, જે સેવે નર નારી; બ્રહ્મચારી ભગવંત સમ ભાંખ્ય, સંવર દ્વારા મુઝારી. મુ. ૯
૧. શાસ્ત્રની વાણું. ૨ મિથ્યાત્વરૂપ ૩ અંધકાર. ૪ અઢાર. ૫ વીજળી. ૬ દેવાની વસ્તુ છ યાચક-લેનાર. ૮ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના દ્વારમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com