SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ જ વાર સ્થપાઈ છે, એટલે, બ્રિટન અને અમેરિકા પ્રત્યેની અમારી વલણ સ્પષ્ટ કરવા આવી જાહેરાત આવશ્યક છે. યુદ્ધની આ જાહેરાતને પ્રચારકાર્યને નુસખે ન સમજશે. અમે અમારાં કાર્યોથી બતાવી આપીશું કે અમે જે કહીએ છીએ તે કરવા માગીએ છીએ. એ નિર્ણયને અમલમાં મૂકવાની અમારી શકિત વિષે શ્રદ્ધા જે મને ન હેત તે હું, પતે તો, એવો નિર્ણય કરવામાં ભાગ લેત જ નહિ.” - નવેમ્બર ૮, ૧૯૪૩ નેતાજીને આઈરીશ પ્રજાસત્તાકવાદીઓ તરફથી અભિનંદનને સંદેશે મળ્યો છે. એ વાંચી એ હર્ષ–રોમાંચિત બનેલા. સંદેશો આવ્યો ત્યારે હું ઑફિસમાં જ હતી. એમણે અમને તે વાંચી સંભળાવ્યો અને કહ્યું કે “આ તાર જોઈને આવરના નીલમનીલા ટાપુમાં મેં જે અનેક મિત્ર બનાવ્યા છે તે સૌ, તેમ જ શહાદતનાં સ્મરણથી અંકિત થયેલાં, મેં જોયેલાં, એ દેશનાં સર્વ પવિત્ર સ્થળે મારી નજર સમક્ષ તરવરે છે. આપણું કાર્ય પણ પવિત્ર છે. આપણી માગણી પણ આપણું જન્મ–હક્ક માટે છે. આપણે, પણ, એને માટે કુરબાનીની કિંમત આપવા તૈયાર છીએ. તેથી, આપણે પણ વિજય થવો જ જોઈએ. જે આયર માટે સ્વાધીનતા આવી, તે હિંદને માટે પણ તે આવવી જ જોઈએ.” કોશીઆ, ચીન અને મન્યુઓએ અમારી આઝાદ હિંદ સરકારને માન્ય રાખી છે. નવેમ્બર ૮, ૧૯૪૭ નેતાજી પિતાના સ્ટાફના માણસ સાથે ટેકિયે ગયા છે. પી. પણ એમાં છે. બહુદ પૂર્વ એશિયાની પ્રજાઓની પરિષદ ત્યાં મળે છે. નેતાજીએ એ પરિષદમાં પ્રતિનિધિ તરીકે હાજર રહેવાની ના પાડી છે. એ ત્યાં નિરીક્ષક” તરીકે ગયા છે. અમારી સરકાર કામચલાઉ સરકાર જ છે અને તેથી હિંદની ભવિષ્યની આઝાદ સરકાર અંગે આજથી તે કોઈ જાતની જવાબદારીમાં ન બ ધાઈ જાય એ પ્રકારના અમારા વલણ સાથે એ બંધબેસતું છે. પરિષદમાં આદિપાદ ડો. બા મોએ રજૂ કરેલા સ્વાધીનતા માટેના હિંદના જગને પૂરે ટેકો આપતે ઠરાવ પસાર થયું છે. હિંદી પ્રશ્નોના જાણીતા ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy