SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ બની શકે એવી કળા છે કે હિંદના છેલ્લા શહેનશાહના અસ્થિઓ બ્રહાદેશની ધરતી ઉપર પડ્યાં છે ત્યારે બ્રહ્મદેશના છેલ્લા રાજવીનાં અસ્થિઓ હિંદની ધરતી ઉપર પિઢયાં છે. “આ પવિત્ર મારક સમક્ષ, હિંદની આઝાદી માટે આખરી વારનો જંગ ખેલનારના અવશેષોની આ યાદગીરી સમક્ષ, માનવીઓમાં જે શહેનશાહ હતા અને શહેનશાહોમાં જે માનવી હતા એવા એક ખુદાના બંદાની આ પવિત્ર સમાધિની સમક્ષ, આપણે આઝાદી માટેના આપણુ નિશ્ચયની એક વાર ફરીથી જાહેરાત કરીએ છીએ. આજે આપણે જ્યારે આઝાદીને આખરી જંગ લડી રહ્યા છીએ ત્યારે આપણા માટે એ જરૂરનું પડ્યું છે કે આપણે કુરબાનીઓ અને યાતનાની ગણના કર્યા વગર, આપણું માર્ગમાં આવનાર મુશ્કેલીઓથી લેશમાત્ર ડઘાયા વગર, યુદ્ધ ક્યાં સુધી ચાલશે અને કેટલું લાંબુ ચાલશે એવો પ્રશ્ન પણ ઊભું કરવાની દરકાર કર્યા વગર આઝાદી સિદ્ધ થાય ત્યાં સુધી લડયે રાખવાને અવિચળ સંકલ્પ કરીએ. આપણે બ્રહ્માદેશના અને હિંદના સામાન્ય દુશ્મન જમીનદોસ્ત થાય અને આપણે આપણા દેશમાં આઝાદ થઈએ એટલું જ નહિ પરંતુ અઝાદમાનવીઓ પેઠે ખભેખભા મિલાવીને આખી યે માનવજાતિના મંગલ ભાવિ રચનાને પ્રયત્ન કરી શકીએ. ત્યાં સુધી ઝઝુમવાને આપણે સંકલ્પ કરીએ. “આજનું મારું વકતવ્ય હું બહાદુરશાહની જ એક કાવ્યપંક્તિના અંગ્રેજી અનુવાદથી પૂરું કરીશ. એમણે લખ્યું હતું ગાઝીઓએ બૂ રહે જબ તક હમાન કી તો લહન તક ચલેગી તેમ છતાન કી.. “એટલે કે જ્યાં લગી હિંદની આઝાદી માટે ખૂઝનારાઓમાં શ્રદ્ધાની એક અંતિમ કણ મોજૂદ હશે ત્યાં લગી હિંની તલવાર લંડનના હૃદય સુધી પહેચી રહેશે કબર, ૧૯૫૦ આજે મહાત્મા ગાંધીજીની ૭૫મી વરસગાંઠ અમે ધામધૂમથી ઊજવી. એક વિરાટ જાહેરસભા, હિંદી કાન ઉપર ત્રિરંગી રાષ્ટ્રીય ધવજે, પ્રભાતફેરી, વાણી વગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy