SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદીની ઉષા “દુશ્મને તલવાર ખેંચી છે. એને હવે તલવારથી જ સામને કરે પશે. "સત્યાગ્રહ સશસ્ત્ર યુદ્ધમાં જ હવે પરિણમવું જોઈએ. હિંદી પ્રજા વિરાટ પાયા ઉપરની અગ્નિપરીક્ષામાંથી અશુદ્ધ બહાર નીકળશે ત્યારે જ એ આઝાદીની અધિકારી બનશે.” જૂન ૨૧, ૧૯૪૭ આજે ટાકિયોથી સુભાષબાબુનું પહેલું વાયુપ્રવચન સાંભળ્યું. મેં તે સ્ત્રીઓમાંના મારા કાર્યને મદદગાર થાય એવા ફકરાઓ ઉતારી લીધા છે. અંતરની વાતને સરળ અને સચોટ રીતે રજૂ કરવાની સુભાષબાબુ પાસે કોઈ ઓર જ હશેટી છે. હિદને માટે સૌથી વધુ મહત્વની બાબત છે, એની પડોશમાં પ્રવર્તતી પરિસ્થિતિ, બ્રિટિશરોની હિંદમાંની આખીએ કારકિર્દી દરમ્યાન, એમના કોઈ પણ સેનાપતિને એવી કલ્પના નથી આવી કે પૂર્વ દિશા તરફથી કઈ દુશ્મન હિંદ ઉપર ચઢી આવશે બ્રિટનના લશ્કરી નિષ્ણુતાનું બધું જ લક્ષ, પરિણામે, વાયવ્ય તરફ જ રોકાયેલું રહ્યું છે. સિંગાપુરને દરિયાઈ માં બ્રિટિશરોના હાથમાં હતા અને બ્રિટિશ માનતા હતા કે હિંદ તેમના બૂટની એડી નીચે સલામત છે. બ્રિટિશ નિષ્ણતેનું આ લશ્કરી આયોજન કેટલું કંગાલ હતું એ વાતની જનરલ યામાસીટા અને ઇડાના વિદ્યુત આક્રમણે ખાતરી કરી આપી. ‘ત્યાર પછી તે, જનરલ વેવલ, હિંદની પૂર્વ દિશા ઉપર કિલ્લેબંધી કરવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે. પણ હિંદુસ્તાનના માણસે એક જ સવાલ પૂછી રહ્યા છે. સિંગાપુરની કિલ્લેબંધી ઊભી કરતાં તમને વીશ વરસ લાગ્યાં, અને ખેતાં, એક અઠવાડિયું તે પૂર્વ તરફ અત્યારે તૈયાર થઈ રહેલી કિલ્લેબંધીઓના ટુકડા ઊડતાં કેટલી વાર લાગશે? અમને હિંદીઓને, ટયુનિશમાં, ટિમ્બકટુમાં, લેમ્પડ્ડસામાં કે અલાસ્કામાં - શું બની રહ્યું છે તેની સાથે કશી જ નિસબત નથી. અમને નિસબત છે હિંદમાં અને હિંદની સરહદની પેલી પારણું બની રહ્યું છે તેની સાથે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy