SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જય હિન્દ સ્પર્શ સરખે પણ કર્યો નહિ. અંતને આ આરંભ તે નહેતે ? સૌના ચહેરા ઉપર એ જ એક પ્રશ્ન હતો ! માથી ૧૫, ૧૯૪૫ પાંચમીએ મિતીલા પડયું. જાપલાઓ રંગૂન ખાલી કરી જવા કટિબદ્ધ છે. મને કેઈએ કહ્યું જ લડે અને રંગૂનને સાચવી રાખે એવી વ્યવસ્થા કરવા માટે નેતાજી દલીલ કરવાની પોતાની બધી જ શક્તિઓ વાપરી રહ્યા છે–જાપલા સાથે. બ્રહ્મદેશ બ્રિટનના હાથમાં જાય તે દિલ્લી આપણે માટે છે તેથી યે દૂર બને; અને એને અર્થ એ કે આઝાદીની આપણી આશાઓ સદાને માટે નષ્ટ. ગાંધી અને નહેરૂ દળોએ મોટી ખુવારીઓ વેઠી છે. પણ એક એક તસની પીછેહઠને માટે તેમણે બ્રિટિશરો પાસેથી શેણિતના રૂપમાં પૂરેપૂરી કિંમત વસૂલ કરી છે. આપણે મરણિયા બનીને લડીએ છીએ, એક એક તસુ ધરતીના ટુકડાને માટે. ૧મા બ્રિટિશ ડિવિઝને માંડલે લીધું સંભળાય છે. મેમે પણ..શું થઇ રહ્યું છે આ? બ્રિટિશરેમાં આટલી બધી તાકાત એકાએક કયાંથી આવી ગઈ? કે પછી આ પરાક્રમે અમેરિકાનાં છે? જાપલાઓનાં હવાઈ દળો તે અદશ્ય જ થઈ ગયાં છે. એપ્રિલ ૫, ૧૯૪૫ સેવિયેટ-જાપાન તટસ્થતા-કરાર હવે અસ્તિત્વમાં નથી એમ મોએ જાહેર કર્યું. આનો અર્થ ખેલ ખતમ........... , એપ્રિલ ૨૪, ૧૯૪૫ આજે સુભાષબાબુ રંગૂનથી બેંકૈક ગયા. ઝાંસીની રાણી દળ અને બીજા બધા રંગનમાંથી સલામત બહાર નીકળી ગયા ત્યાર પછી જ એ નીકળ્યા. હું રંગનના વડા મથક સાથે સંકળાયેલી છું. મેં વિનાત કરી છે કે, મને અહીં જ રહેવા દેવામાં આવે, અને મારી એ વિનતિ માન્ય થઈ છે. જાપાની સેનાપતિ ગઈ કાલે જ રંગૂન છોડીને ચાલ્યા ગયે. રંગૂન છોડી જનારાઓમાં સુભાષબાબુ છેલ્લા હતા. વિમાનમાં દાખલ થતા પહેલાં બંમારા પ્રત્યે એમણો જે એક છેતરી નજર નાખી-એને હું જીવનભર વિહિ કી શકે ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034853
Book TitleJai Hind
Original Sutra AuthorN/A
AuthorVitthalbhai K Zaveri, Soli S Batliwala
PublisherJanmabhumi Prakashan Mandir
Publication Year1945
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy