SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) પુત્રના કરેલા નિયમિત શ્રાદ્ધોથી અનંત સુખપ્રાપ્તિ મેળવવાની તેની આકાંક્ષા હોય અને તે કારણેને લઈને તેને પુત્ર આટલી નાની વયમાં ધર્મદીક્ષા લઈ સાધુ થાય તેને તે મોટામાં મોટી વિપત્તિ ગણતે હોય એ બનવાજોગ છે. જેને મત સાથે આ અભિપ્રાય જરા પણ મળતું આવતું નથી એમ હોવા છતાં અનેક વખત એ બાબતે જેન શ્રાવકેમાં માલુમ પી આવે છે, અને જે કે તેઓ સનાતન હિંદીઓની પેઠે મરેલા પછવાડે શ્રાદ્ધ કરતા નથી તે પણ પોતાના પુત્ર માટે એવા જ પ્રકારની લાગણીને ધારણ કરે છે. ગુરૂ દેવચંદ્ર અને ચાચીગની બાબતમાં ઉદયન વચ્ચે પડવાની હકીકતના સંબંધમાં શંકા કરવાનું કાંઈ મુદ્દામ કારણ મળતું નથી. ઉદયન ખરેખર ઐતિહાસિક પુરૂષ છે. જે શ્રીમાળી વાણુઆઓ મારવાડમાં આવેલા શ્રીમાલ અથવા ભીન્નમાલમાંથી ગુજરાતમાં ઉતરી આવ્યા તે જ્ઞાતિને એ શ્રીમાળી વાણીઓ હતે. કર્ણાવતી નગરી કે જે ફાર્બસના મત પ્રમાણે અત્યારના અમદાવાદને રથાને તે વખતે હતી તે નગરીમાં તે પ્રથમ રહેતું હતું એમ ધારવામાં આવે છે. ત્યારપછી થોડા વખતમાં સિદ્ધરાજ જયસિંહે તેને સ્તંભતીર્થ–ખંભાતને મંત્રી અથવા રાજકીય સલાહકાર નીમ્યું હતું. અને ઘણે ભાગે એને સદર શહેરને સરસુબો (ગવર્નર) નીચે હતો. આ ઉદયન હેમચંદ્રના ચરિત્રમાં અનેક વખત ત્યારપછી દેખાવ દે છે. પ્રભાવક ચરિત્રમાં એક ટુકી નેંધ છે કે સુપ્રસિદ્ધ ઉદયને ચાંગદેવની દીક્ષા મહોત્સવ ખંભાત નગરમાં કર્યો. તે હકીકત બતાવે છે કે મેરૂતુંગ ઉદયનને દેવચંદ્રના સન્માન્ય વીલ (પેન) કહે છે તે તદ્દન સાચી હકીકત છે. જે આ હકીકત સાચી હોય તે પુરાણ અને ગ્રા (પ્રભાવક ચરિત્ર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy