SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૯) અહીં એટલી વાત પર ધ્યાન ખેંચીએ કે જયસિંહ સિદ્ધરાજનું નામ એક શ્લોકમાં આવે છે. ૨. ૪. અને બર્બરક ઉપરને તેને વિજ્ય ઉલ્લેખવામાં આવ્યો છે. લોક ૪. ૩૨. વણે ભાગે એ જ રાજાને ઉદ્દેશીને છે “અહે સ્વર્ગના પાર્થિવ વૃક્ષ! તું કે જેને મજબૂત હાથ ઝાડ જેવું છે. પૈઠનના ઘરની ગટરે તારા હાથીઓનાં બળના જોરથી ભરાયલી છે” વિગેરે. ભાંડારકરે હાલમાં એક ઐતિહાસિક કૃતિના છેડા ભાગે પ્રાપ્ત કર્યા છે જેમાં પ્રતિષ્ઠાનપુર-પૈઠનના વિજ્યને ઉલ્લેખ છે. સંસ્કૃત પ્રતીઓની શોધખોળને રિપોર્ટ સને ૧૮૮૩–૪ નો પુ. ૧૦ માં જુએ. એ બનવાજોગ છે કે “સ્વર્ગના પાર્થિવ વૃક્ષ”ના ગર્ભમાં હલસતવાહનને ઉલ્લેખ છે. આ પ્રમાણે તેનું નામ દેશી નામમાળામાં બીજી રીતે આવે છે. ૭૬ પ્રબંધચિંતામણિ પૂ. ર૨૫-૨૨૬ જણાવે છે કે કુમારપાળે “પમા” અથવા “ઔપચ્યું” ને બદલે “ પમ્પ” શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે એણે ભાષાદેષને ગુન્હ કર્યો પછી આપણને એમ કહેવામાં આવે છે કે “માત્રિકા પાઠ” થી માંડીને એણે શાસ્ત્રોને અભ્યાસ કાઈ પંડિત પાસે કરવા માંડ્યો. એણે એક વર્ષમાં ત્રણ કાવ્યો અને તેની ટીકાઓ તૈયાર કરી આપ્યા અને તે પછી તેણે વિચારચતુમુખનું બિરૂદ મેળવ્યું. એ જ વાર્તા કુમારપાળચરિત્ર પુ. ૧૦૫ માં આવેલ છે માં હેમચંદ્રને પંડિત તરીકે રજુ કરવામાં આવેલ છે. ૭૭ હેમચંદના સમય પહેલાં અણહિલવાડમાં રન ધર્મનું અર્થ સુચકત્વ કેવા પ્રકારનું હતું તેના સંબંધમાં એ રસાત્મક પુરાવો કર્ણ સુંદરીના નાટકથી માલુમ પડે છે. મુંબની કાવ્યમાળામાં હાલ એ ગ્રંથ પંડિત દુગપ્રસાદે પ્રસિદ્ધ કર્યો છે. સુપ્રસિદ્ધ કવિ બિહણે એ નાટકને ઉલ્લેખ બતાવેલ છે. શાંતિનાથના મંદિરમાં નામે મહત્સવ પ્રસંગે એને ભજવવા માટે તૈયાર કરવામાં આવેલ હતું. એ મહત્સવ મંત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy