SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવેના સંબંધમાં તેની પિતાની લખેલી હકીકત અને ટીકાઓ સાથે સરખાવવાનું તથા અરસ્પરસ તુલના કરવાનું હવે શકય બન્યું છે. જો કે કમનસીબે હેમચંદ્રની પિતાની આ સંબંધમાં ઉક્તિઓ ઘણી છે. આ પશ્ચાદુગામી ઉલ્લેખ અને કૃતિઓ હેમચંદ્રના સમય પછી ઘણે લાંબે વખતે તૈયાર થયેલી છે. તે ચાદમી, પંદરમી અને સેળમી શતાબ્દિમાં બનેલી હોય અને તે જે ધારણ પર રચાયેલી છે તેને તેલ કરતાં તે પ્રત્યેકને વિચારવાની આવશ્યકતા રહેલી નથી. એમાંથી થડાની પસંદગી કરવામાં આવે તે તદ્દન પૂરતી થઈ જાય તેમ છે, કારણ કે પછવાડેના લેખકે એ તે ઘણે ભાગે પૂર્વગામી લેખકેએ જે લખ્યું તેનું અનુકરણ જ કર્યું છે. ચાલુ શેખેળને અંગે નીચેની કૃતિઓને ઉપગ કરવામાં આવ્યે છે. ૧ “પ્રભાવક ચરિત્ર ” જૈનના મહાન ૨૨ ધર્મગુરૂઓનાં જીવનચરિત્રને સંગ્રહ. એમણે પોતાના ધર્મ ઉપર ઘણે પ્રભાવ પાડ્યા હત, તેની એમાં હકીકત છે. હેમચંદ્રના દેહોત્સર્ગ પછી લગભગ ૮૦ વર્ષે ઈ. સ. ૧૨૫૦ ના અરસામાં આ ગ્રંથ પ્રભાચંદ્ર અને પ્રદ્યુમ્નસૂરએ તૈયાર કર્યો છે.' ૨ “પ્રબંધચિંતામણિ” કર્તા મેરૂતુંગાચાર્ય. વર્ધમાનપુર અથવા વઢવાણ (કાઠિયાવાડ) વાળા. ઐતિહાસિક દંતકથાઓ અને વાર્તાઓને સંગ્રહ. સંવત ૧૩૬રના વૈશાખ શુદિ ૫ ને દિવસે ગ્રંથ પૂરો કર્યો એટલે કે ૧૩૦૫ અથવા ૧૩૦૬ ઈ. સ. ના એપ્રીલ-મે માસમાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy