SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૨) હોય છતાં અને એણે જૈન ધર્મના વ્રત–પચ્ચખાણ કરેલ હોવા છતાં, એણે પિતાને હાથ શૈવ લેકે તરફથી તદન પાછા ખેંચી લીધે નહોતે. એમનાં લેહીભર્યા યશયાગનાં તર્પણે એણે અટકાવ્યાં હોય, છતાં એણે રાજ્યના કોશાગારમાંથી એમને રાજ્યકક તેમના મંદિરના પૂજારીએ તથા રોગીઓ માટે આપે હશે. એવા પણ પ્રસંગે ( વખતે) આવ્યા હશે જ્યારે તે શિવસંપ્રદાયતરફ વધારે નજીક આકર્યો હશે અને જિનેને તેમજ શિવને પૂજ્યા હશે. આવી અસ્થિરતા અને ધર્મોનું મિશ્રત્વ હિંદુસ્તાનમાં કાંઈ અસાધારણ નથી અને વેદબાહ્ય સંપ્રદાય સ્વીકારનારા બીજા રાજાઓના સંબંધમાં પુરાણા કાળથી આ પ્રમાણે બનતું નિવેદન કરવામાં આવે છે. દાખલા તરીકે થાણેશ્વર અને કનોજના ઇતિહાસપ્રસિદ્ધ રાજા હર્ષવર્ધન માટે કહે છે કે તે બુદ્ધને, બ્રહ્માને અને જિનેને પૂજતે હતે અથવા બોદ્ધોને, બ્રાહ્મણને અને જેનોને માન આપતે હતે. આવા આવિર્ભાવ ( બનાવ) માટેનાં કારણે પૂરતી રીતે ઉઘાડાં (સમજી શકાય તેવાં) છે. રાજ્ય દરબારમાં આવાં વેદબ્રાહા ધર્મોને પંડિત ઉપરાંત પ્રાચીન પંડિતે પણ હમેશાં હાજર હોય છે અને તેઓની લાગવગ પણ રાજાઓ ઉપર ઘણી મટી રહેતી હોય છે. ઘણે ભાગે અણહિલવાડમાં પણ એ પક્ષ હતું, કારણ કે પ્રબંધ કહે છે તે પ્રમાણે માત્ર એક જૈન વાગભટ જ માત્ર મંત્રી હતા એવી વાત નથી. તેના ઉપરાંત કપર્દી નામને મંત્રી હતું અને તે ન હતું એવું કહેવામાં આવ્યું નથી. એ ઉપરાંત શિવ સંપ્રદાયને દેવધિ હતે. એ પહેલાના કાળમાં કુમારપાળને ધર્મશરૂ હતો (જુઓ પૃ. ૨૦૪, ૨૧૫) અને કુમારપાળના જૈન ધર્મના સ્વીકાર પછી પણ તે હાજર હતે. વિક્રમ સંવત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034844
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy