SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવતસંગ્રહ Necessity knows no law. . All is fine that is fit. ૩૫. સેબતે અસર. ૧૬ સેબતે અસર, સુખમે તાસીર. સંગ તેવો રંગ. વાન ન આવે પણ સાન આવે. બધા ખાય છે અથવા ખાવું પડે છે. તે કેદી જ્યારે છૂટીને આવે છે ત્યારે નાતમાં તેને કાંઈ દેખ નહીં ગણતાં દાખલ કરવામાં આવે છે. એારત ગમે તે જાતની રાખવામાં દેષ ગણાતો નથી. સોબતે અસર ૧. બાદશાહ અને લવાના સંવાદમાં લવે કહ્યું, “સેબતે અસર, સુખમે તાસીર” ત્યારે બાદશાહે કહ્યું, “તુખમે તાસીર” વાત ખરી છે, પણ માણસનું મન મજબુત હોય તે સબત અસર કરી શકે નહીં, માટે સેબતે અસરની વાત મને ખરી લાગતી નથી. તે ઉપરથી લવે કહ્યું, “સેબતે અસર” ખરી વાત છે. લવે તેના ખરાપણું વિષે આગ્રહ પકડવાથી બાદશાહે કહ્યું, “બાર મહિનામાં એ વાત ખરી સિદ્ધ કરી આપજે, નહીં તે ગરદન મારીશ. લવે કબુલ કર્યું. ' બેચાર માસ જવા દેઈ, લવે કાશી વગેરે તરફ જવાની રજા લીધી ને કાશી તરફ ગયાને બધે ડોળ કર્યો, ને પછી વાણીઓ થઈ દિલ્હીમાં શાહુકાર બની મોટી બજારમાં સારી ત્રણ માળની દુકાન ભાડે રાખી. પહેલા મજલામાં દુકાન કરી બેચાર ગુમાસ્તા તથા નેકર રાખ્યા, ને તેણે ઊપરના મજલામાં પિતાની સ્ત્રી સાથે રેણુક કરી. બીજે દહાડે તેણે પિતાના નેકરને કહ્યું, “એક હજામને બેલાવી લાવ. બાદશાહને હજામ હશે તે સારી હજામત કરતે હશે માટે તેને તેડી લાવજે.” કર ગયે અને બાદશાહના હજામને તેડી લાવ્યા. શેઠે (લવે) હજામત કરાવી હજામનાં બહુ વખાણ કર્યા ને હજામને હજામતના મહેનતાણુંના પાંચસો રૂપીઆ આપ્યા. બાદશાહને હજામ ખરે, પણ પાંચ રૂપીઆ એકઠા જોયેલા નહીં તેથી બહુ ખુશી થઈ ગયે. શેઠ હજામત કરાવી રહ્યા કે, સુરત ઉપલે માળથી એક દાસી આવી તેણે હજામને કહ્યું, “મારી બાઈના નખ લેવરાવવા છે માટે ઉપર ચાલ.” ઉપર ગયે, નખ લેવાને આંગળી હાથમાં લીધી ખરી, પણ તેના જેવી બાઇની દેહ, ભવ્ય ને સૌદર્યથી ભરપુર મુખ જોઈ હજામ તે દિમૂઢ બને. બાઈ કહે, ‘બરાબર છવ ઠેકાણે રાખ નહીં તે જીવતે નખ ઉતરશે.” કાળજું માંડમાંડ ઠેકાણે રાખીને ઘાંયજે નખ ઉતાર્યા. નખ ઉતરાયણના તે બાઈએ બે રૂપીઆ આપી, દર ત્રિજે દહાડે નખ ઉતારવા આવવાને વરદી આપી, તે હજામે ખુશી થઈ કબુલ રાખી. એમ વહીવટ ચાલતાં બેએક મહિના નીકળી ગયા. પછી હજામ એક વાર નખ લેવા આવ્યો, ત્યારે બાઈએ પૂછ્યું, “કાલે સાંજના ચાર વાગતાં એક સવારી નીકળી બસે ઘોડા આગળ, સેબસે ઘોડા પાછળ ને વચ્ચે એક ઘોડાવાળ ઘડે નચાવત હતા એ કેણ હશે ?” હજાએ કહ્યું, “એ જ બાદશાહ સલામત હતા.” ત્યારે બાઈ બોલ્યાં, “બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy