SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવતસંગ્રહ ૨૦ - ૪પર પ૩૦. માયા ખુટી કે જંજાળ તૂટી. ભલું થયું ભાંગી જંજાળ. ૬ માયા ખુટી કે જંજાળ તૂટી. ભલું થયું ભાંગી જંજાળ. ભય થા સે પીછે ડાલ દીયા. છે પળે ઓછી કાળ. ભલું થયું ભાંગી જંજાળ, સુખે જપીશું શ્રીગોપાળ. દેહરે–નાથ ભગત નચિંત થયા, ભલે મુઈ ગાય; પૂર્ણ સુખ તો પામીએ, જે વાછડા તુંએ જાય. ૪૫૧ પ૩૧. નામ રહે ગીતડે કે ભીંતડે. ૪. નામ રહે ગીત કે ભીંતડે. જેણે નામ રાખ્યાં તે મુવા પછી પણ અમર છે. સુરતસે કીરત બડી. દેહ-નામ રહંદ ઠાકરાં, નાણું નહી રહેત; કિરત હુંદાં કેટડા, પાડ્યાં નહી પરંત. પ૩૨. હૈયે હામ ન હોય, પણ પગમાં બળ (૭૩) રાખવું. ૮ હૈયે હામ ન હોય, પણ પગમાં બળ (૩) રાખવું. હિમત હાર્યા હોઈએ, પણ પગ પાછો પરઠો નહીં. દુશમન જુવે પગ સામું, ને હેતુ જુવે મુખ સામું. ઢીલા પગ કળાવા દેવા નહીં. હિમત ન હોય, પણ પડકારો રાખો. નિમકકી શરત લડતે હૈ, પણ ગાં- જખ મારતી હે. હૈયું પડી ગયું છે, પણ ગાં- બળ ઘણું છે. માંહે હાજા ગડગડી ગયાં છે, પણ પતરાજ મૂકાતી નથી. He who has no heart (courage) should have a good pair of legs. ૫૩૩. શૂરા સાચા જેના વેરી ઘાવ વખાણે. ૯ શરા સાચા જેના વેરી ઘાવ વખાણે. ભાયડાના ઘા હજી બડબડે છે. મરદ માણસ પિતાનો વટે કહાડ્યા વગર રહે નહીં. મરદના ઘા સાંભળી દુશમનના પગમાંથી ધુળ નીકળી જાય. ૧ પછી ગમે ત્યાં જવાય છે. ૨ કવિત કરવાથી કવિએ ગાવાથી તે ગીતડે નામ રહે કે સારાં કાપયેગી મકાન બંધાવી જાય તે ભીંતડે નામ ર ગણાય. ૩ સુરત ઊડી જાય, કીરત કબુ ન જાય. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy