SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવતસંગ્રહ વંઠયું દૂધ ઉકરડે નંખાય. હગાણું નહીં ને ઘર સ્નાણું નહીં. ૨૦.. વર્ણાશ્રમથી વંઠે તે એકે ખપને ન રહ્યો. - બોટો ત્યાગ તે પંડનું ને માબાપનું બગાડયું. ધાબીને કુતરો નહીં ઘરને કે ઘાટને. ગદ્વાપણું ને બ્રહ્મચર્યપણું બેએ જાય. ' દેહરા-તુલસી આ સંસારમેં, સયોં ન એકે કામ; દુગ્ધામે દેનું ગયે, માયા મીલી ન રામ. ૨૪૮ બાવા મેક્ષે જઈશ, જે બાવી નહીં પરણીશ, બા થઈ બાવી વરે, તે બે બગડે બાવીશ. ૨૪૯ He is nowhere ૧ વંઠર્યું બગડેલું. એ દૂધ કશા કામમાં આવે નહીં. ૨ એક સુથારે પલંગ બનાવ્યો. તેના ચાર પાયા ઉપર પુતળી કરી, અને તે પુતળીઓનાં માથાં ઉપર પલંગની છત્રી કરી. પુતળીઓના પેટમાં એવી રીતનું યંત્ર કામ તેણે ગેઠવ્યું કે, રાતના પહેલા પહેરના યમન કલ્યાણ, ભુપાલે કલ્યાણ અને બીહાગ રાગના સુર થાય; મધ્ય રાત્રે નાટ, શંકરે, ખટ વગેરેના સુર થાય; પાછલી રાતના હિંદેલ, સેહી, કાલિંગડે વગેરે સુર થાય, ને સવાર થતામાં ભરવ, ભેરવી, સિંધુ, જેગ, આશા, બીભાસના સુર થાય. આવો સુંદર પલંગ રાજાને તેણે ભેટ કયો. રાજા તે ઊપર રાત્રે સુતા તો આનન્દ આવ્યો, અને સુથારની અભુત કારીગરી માટે ધન્યવાદ આપી હજારએક રૂપીઆની પેદાશનું એક ગામ બક્ષીસ આપ્યું. સુથારની આવી ચડતી દશા જોઈને દરજીથી તે સહન થયું નહી. એટલે દરજીઓએ રેશમી કપડાનાં, મખમલનાં, કીનખાબનાં લુગડાં રંગબેરંગી લાવી, તેના તંબુ શમિયાણું બનાવ્યા; કનાને જરીની ઝાલર તથા તેમાં ખંડ પાડીને વેલ, ઝાડ લુગડાનાં સીવીને વળગાડ્યાં. કામ આખી નાતે કર્યું ત્યારે વરસ દહાડે પુરું થયું. રાજાને ભેટ કરવા સારૂ તંબુ, શમિયાણુ, કનાતે, અંદરની બીછાત બધું દરબારગઢમાં તેઓએ ઉભું કર્યું. રાજાને તે જાહેર થતાં જોવા આવ્યા. જેઈને લુગડાં બહુ ભારી કીમતનાં વાપરેલાં, કારીગરી પણ ઉત્તમ પ્રકારની જોઈ રાજાજી ખુશ થયા. દરજીએ તે બધું રાજાને ભેટ કર્યું. રાજા ખુશ થઇને દરજીને કહે છે કે, તમે માગે તે આપું. તેથી દરજીએ માગ્યું કે, “સુથારે બનાવેલા પલંગ ઉપર બેસી અમારે હગવું છે.” રાજા વચનથી બંધાએલા તેથી પલંગ મંગાવીને એક જુદા વંડામાં મૂકાવ્યું. દરજીમાંથી કેટલાક પલંગ પર બેસી હગવાના છે, એ વાતની સુથારને ખબર પડતાં સુથારની નાત એકઠી કરી. તેઓ વિચારવા બેઠા કે આપણું અપમાન દરજીએ બહુ કર્યું, હવે શું કરવું? ત્યારે નાતે ઠરાવ કર્યો કે દરજીનાં ઘર સળગાવે. સુથારના ઘરમાં પડેલાં છોડીના પાટલા બાંધી પુરૂષ તથા સ્ત્રીઓએ દરજીના ઘર પાછળ ઢગલે કરી સળગાવ્યાં. તે જોઈ દરજીની સ્ત્રીઓ કકળાટ કરતી દર બારમાં આવી. દરજી હંગવા બેઠેલા તે અધુરૂં મૂકી દેડ્યા, ત્યાં કેટલાંક ઘર સળગેલાં તે રાખી શકાય નહીં. તેથી કહેવત થઈ કે બહગાણું નહીં ને ઘર ખાણું નહીં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034837
Book TitleGujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Original Sutra AuthorN/A
AuthorAshram Dalichand Shah
PublisherMulchand Asharam Shah
Publication Year1923
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy