SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જુદો છપાવ્યો છે, એને પ્રથમ પાયે ઘણું વર્ષ થયાં છે, તેમ હાલ વ્યાસ પોતે સ્વર્ગવાસી છે, છતાં મારે તેમની સાથે દશેક વર્ષ ઉપર સુરત હરિપુરામાં મિલાપ થયો, તેમની વિદ્વતા તથા સતત પ્રયાસ છતાં દ્રવ્યની સ્થિતિ સામાન્યજ હતી, એટલે દુઃખી સ્થિતિ હોવાથી કેટલાંએ સાધન તેમને ન હોવા છતાં આટલું બધું સાધન એકત્ર કરી તેમણે ઉપોદ્દઘાત લખેલ હોવાથી તેઓશ્રી જ્ઞાનાત્મા તરીકે ચિકા જીવતાજ છે, મરવું તે સૌને છે જ, પણ પરમાર્થ કરીને જે મરવું તે તે હમેશને માટે જીવવા જેવું જ છે. સૂયગડાંગ સૂત્ર બીજા સ્કંધનું પુંડરીક અધ્યયન આ ઉપોદઘાત સાથે સૂયગાંગસૂત્ર બીજ સ્કંધના પ્રથમ પુંડરીક નામના અધ્યયનના છ ફર્મા જોડયા છે, કે તેથી જૈન સૂત્રોની રચના કેવી છે તે સમજાય તથા તેમાં સંસ્કૃત ટીકાના આધારે ગુજરાતી ભાવાંતર હેવાથી સામાન્ય ભણેલ પણ તેને વિષય સમજી શકશે, વળી સત્ર રચના વખતે કયા કયા મતે હતા તેમનું કહેવું શું હતું તે પણ હાલના કાળ સાથે સરખાવવું બહુ અનુકુળ થઇ પડશે, વળી તે ઉપરાંત જુના ગુજરાતી ભાષામાં જેનો તરફથી ક્યા ક્યા ગ્રંથો છપાયા છે તેની પણ વિગત આપવાથી અભ્યાસીઓને જોઈએ તેવું સાધન મળશે, આ સૂયગડાંગ સૂત્ર થોડા વખતમાં ગુજરાતી ભાષામાં સંપૂર્ણ બહાર પડી જશે. જૈન સાહિત્ય પ્રદર્શન અમદાવાદ ૧૯૮૦ પછી સાત વર્ષ ૧૯૮૭ના મહા સુદમાં અમદાવાદમાં જેને સાહિત્ય પ્રદર્શન ભરાયું, તે વખતે તેના કાર્યવાહકોએ ઘણું ખર્ચે પ્રતો એકઠી કરી હજારો માસો જેન અજૈનને તે જૈન સાહિત્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy