SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩ પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાન સામાન્ય વર્ણન કરવા ઉપરાંત પ્રાકૃતિક ભૂગોળ દરેક કુદરતી ઘટના કે બનાવનું કાર્યકારણ શોધે છે, તેના ઉપરથી નિયમે તારવે છે અને ટુંકામાં તે સંબંધી સર્વદેશીય જ્ઞાન પ્રાપ્ત કરે છે. “પ્રાકૃતિક ભૂગોળવિદ્યાને ઉદ્દેશ પ્રાકૃતિક ભૂગોળવિદ્યાના અભ્યાસમાં ફક્ત નદીની લંબાઈ કે પર્વતની ઉંચાઈ કે દ્વીપકલ્પ અથવા ઉપસાગરનાં નામ કે શહેરની વસ્તી વગેરે યાદ રાખવામાં સમાવેશ થતો નથી. બાહ્ય પરિસ્થિતિ, દિવ્ય પ્રદેશ, ભૂમિ, ઉષ્ણતા અને ભિનાશ વગેરે ઘટનાઓ કે પદાર્થો છે જે જમીન ઉપર વસતાં પ્રાણી અને વનસ્પતિની વિવિધતા ઉપર અસર કરે છે અને ઉંડાણ, ઉષ્ણતામાન તથા જળવિકાર કે જે જળચર પ્રાણી અને વનસ્પતિની ઉત્પત્તિને નિયમમાં રાખે છે, વગેરેનું અકારણ સંશોધન કરવું, એ પ્રાકૃતિક ભૂગોળવિજ્ઞાનનો મુખ્ય વિક છે. ભૂપૃષરચના અને જળાશયની સ્થિતિ આ વિજ્ઞાનનાં અભ્યાસક્ષેત્રો છે. પ્રાકૃતિક ભૂગોળનું મુખ્ય ધ્યેય વિવિધ કુદરતી ટતાને ઉત્પન્ન કરનારાં જળ, જમીન અને હવામાન વિષે અન્વેષણ કરવામાં અને તેમનાથી થતા આઘાત કે પ્રત્યાઘાતને નિયમમાં કરતા કાનુનો જાહેર કરવામાં પરિપૂર્ણ થાય છે. આ ઉપરથી "ણાલ આવશે કે પ્રાકૃતિક ભૂગોળ વિવિધ વિધઘટનાનાં કાર્યકારણ કોઇવે છે અને સુસંગત નિયમે સમજાવે છે કે જેથી સૃષ્ટિક્રિયાની “અરી સમજુતી મળી શકે છે. વિજ્ઞાનનો ઉચ્ચ આદર્શ અનુભવતો અને વિશાળ તથા વિવિધ કાર્યપ્રદેશ નિહાળતો પ્રાકૃતિક ભૂગોળવિદ્યાનો અભ્યાસી દરેકે દરેક કરતી ઘટનાનું નિરીક્ષણ કરે છે અને તેને નિયમપૂર્વક સમજાવવાને ક્ત પ્રયાસ કરે છે. દાખલા તરીકે એક જ અક્ષાંશ ઉપર આવેલા િદેશોની આબોહવા કેમ વિષમ જણાય છે? પર્વતનાં શિખર સાધી હિમથી આચ્છાદિત હોય છે અને તળેટીઓ લીલોતરી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy