SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન સમયને વ્યાપાર [ ૧૪૩ સુરત જિલ્લાને જમીન વ્યાપાર વધવા લાગે, પણ દરીયાઈ . વ્યાપાર ધીમે ધીમે ઘટવા લાગે. ઇ. સ. ૧૮૦૨ માં દરીયાને વ્યાપાર રૂ. ૯૯ લાખ હ, ઈસ. ૧૮૧૫ માં . ૧રપ લાખ થયેલ, ઈ. સ. ૧૮૨૦ માં પાછો રૂા. ૮૫ લાખ થયો, ઈ. સ. ૧૮૩૦ માં રૂ. ૮૨ લાખ , ઈ. સ. ૧૮૪૦ માં રૂ. ૭૪ લાખ થયા અને ઈ. સ. ૧૮૭૫ માં દરીયાઈ વ્યાપાર રૂા. ૫૧ લાખ થઈ ગયે. આ વ્યાપારની પડતીનું મુખ્ય કારણ રેલ્વે હતું, પણ ફ્રેંચ લેકએ સુરતનાં કેટલાંક વહાણોનો નાશ કરેલો તથા મુંબઈમાં ૩ ટકા જકાત અને સુરતમાં ૭ ટકા જકાત હતી એથી, તથા યુરોપની પ્રજાઓની મહેમાહે સ્પર્ધામાં તે વ્યાપારને ઘણું નુકશાન થયું. ઇ. સ. ૧૮૭૬ માં સુરતમાં સુરત, બિલિમેરા, નવસારી, વલસાડ વગેરે સાત બંદરોએ વ્યાપાર ચાલતો હતો. ત્યાંથી અનાજ, કઠોળ, મહુડાંનાં ફુલ, સાગ, વાંસ વગેરેની નિકાસ થતી, અને ખંભાતથી તમાકુ, ભરૂચથી રૂ, મુંબાઈથી લોખંડ, ગોવાથી નાળીયેર, કંકણથી ડાંગર, દીવદમણથી માછલી વગેરે માલની ત્યાં આયાત થતી. ઈ. સ. ૧૮૭૪-૭૫ માં ૧૮.૫૩ સરાસરી ટન વજનના આશરે ૧૫૩૩ વહાશે સુરત બંદરે અને ૧૮૭ર સરાસરી ટન વજનના આશરે ૨૦૬પ વહાણો વલસાડ બંદરે આવ્યાં હતાં. બ્રિટિશ રાજ્યની શરૂઆતનાં વર્ષમાં બંદરોની પરિસ્થિતિ ઉપર પ્રમાણે હતી. ભરૂચ જીલ પ્રાચીન સમયથી ભરૂચ બંદર વ્યાપાર ઉદ્યોગમાં આગળ પડતું હતું, પણ સુરતની જાહોજલાલી વધવાથી ભરૂચને બધો વ્યાપાર ત્યાં ગયો. ઈ. સ. ૧૮૧૫-૧૬ માં દરીયામાર્ગે ભને વ્યાપાર આરે રૂા. ર૭ લાખ હતો, ઈ. સ. ૧૮૪૭ માં રૂ. ૧૧૫ લાખ 1. Surat Gazztteer, Volll., B. , (1877), pp. 168-177 ૨. Erotch , , pp. 48-495 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy