SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પ્રમાણમાં આવેલા છે. તળાવડા કળીએ સિવાયના ઘણાખરા કળીઓ મજુરી કે ખેતી કરીને જીવન ગુજારે છે, પણ તેમનામાં ચોરી કરવાની ટેવ હજુ છે. રેવાકાંઠા તરફ હજુ તેઓ ચેર તરીકે જાણીતા છે અને જ્યારે તેમને શિક્ષા કરવામાં આવે છે ત્યારે તેઓ ઘણું જ સહનશીલતા અને નમ્રતાથી સહન કરે છે. પાલણપુર તરફ તે દિવસે તેઓ ધાડ પાડે છે. કેટલાક તેમને ઉત્તરના મેદાનની અનાર્ય પ્રજા તરીકે ઓળખે છે, ત્યારે કેટલાક તેમને સુધરેલા ભીલ કે રજપૂત વંશજો તરીકે ઓળખે છે. ચરોતરના મેદાનમાં અને મહીકાંઠા તરફ જોવામાં આવતા ધારાળા પણ શરીર, બંડખર અને લૂંટારા તરીકે પ્રખ્યાત છે. કાઠી, આહીર વગેરે. કાઠીયાવાડના ડુંગરાળ પ્રદેશમાં એક દરવીર અને બંડખેર કાડીની જાત જોવામાં આવે છે. આ જાત કચ્છ તરફથી કાઠીયાવાડમાં આવેલી હોય તેમ જણાય છે, પણ ક્યારે આવેલી તેની તારીખ નકકી નથી. મધ્ય એશિયામાંથી જે જાતે હિન્દમાં આવેલી તેમાંની આ એક છે. તેઓ સિંધના મુખપ્રદેશ પાસે વસેલા, પણ મુસલમાનોના હુમલાથી કચ્છમાં અને ત્યાંથી છેવટે કાઠીયાવાડમાં આવી વસેલા. તેમના નામ ઉપરથી હાલ આ દ્વીપકલ્પ કાઠીયાવાડ કહેવાય છે. ઘણા લાંબા વખતથી આ જાત લૂંટફાટથી જીવન ગુજારતી આવેલી છે.? તેમના નામ માત્રથી પ્રજાને ત્રાસ લાગતે અને તેઓ ખેતીને ધિક્કારતા. મુસલમાની રાજ્યની પડતી થયા પછી તેઓ ?. Gazetteer of Bombay Presidency (Gujarat l'opulation) p. 237. 2. Kathiawar Gazetteer, p. 122. ૩. ઈ. સ. ૧૮૮ માં કનલ કર લખે છે કે “કાઠી લો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy