SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીસ મંડપ, પશ્ચિમ દિશામાં મેઘનાદ પ્રમુખ એક સ મંડપ અને ઉત્તર દિશામાં શ્રી વિશાળ પ્રમુખ એકવીસ મંડપ બનાવરાવ્યા. જિનમંદિરના મુખ્ય ભાગમાં સેંકડો સૂર્યની પ્રભાની જાણે રાશિ ન હોય તેવી તેજસ્વી રત્નમય શ્રી રાષભદેવ ભગવાનની ચતુર્મુખ પ્રતિમા, તથા બંને બાજુ શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ અને ભગવાનની મૂર્તિની પાસે ખડ્ઝ ખેંચીને ઉભેલા નમિ વિનમિની મૂર્તિ પણ સ્થાપન કરાવી. તે સિવાય શ્રી નાભિરાજા, શ્રી મરુદેવી માતા, સુનંદા, સુમંગલા, બ્રાહ્મી, સુંદરી તથા બીજા કેટલાક પૂર્વજોની રત્નમય પ્રતિમા પણ સ્થાપન કરાવી. ત્યારબાદ બીજ નવીન મંદિરે કરાવીને શ્રી અજિતનાથ ભગવાન આદિ ત્રેવીસ તીર્થકરેના પિતા પોતાના દેહ અને વર્ણ પ્રમાણે, શાસનદેવતા સહિત રત્નમય બિઓ પણ પધરાવ્યા. આ રીતે ભરત મહારાજાએ ગિરિરાજ ઉપર મંદિરનું નગર બનાવ્યું. સઘળા બિઓની પ્રતિષ્ઠા વિધિ અંજનશલાકા શ્રી નાભિગણધર પાસે કરાવી. તે વખતે વિધિમાં જોઈતી સઘળી વસ્તુઓ ઈન્દ્ર મહારાજાએ હાજર કરી હતી. પ્રભુની પ્રતિમા ભરાવ્યા બાદ અંજનશલાકા થાય ત્યારે જ પૂજનિક બને છે. વર્તમાનમાં પણ અનેક રથળોએ અંજનશલાકા મહોત્સવમાં સઘળીએ વિધિ કરવામાં આવે છે. ગૌમુખ નામને યક્ષ અને ચકેશ્વર નામની શાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy