________________
૪૩ શુદ્ધ ગતિ ભગવાને બતાવી છે. શાખ સૂત્ર દશવૈકાલિક અધ્યયન ૫, ઉદેશે ૧ ગાથા ૧૦૦, શુંદ્ધ ગતિનાઈચ્છક શુદ્ધ સાધુ શુદ્ધ નિર્દોષ આહાર પાણી લે અને સમજી શ્રાવક તે જ મુજબ આપે અથવા વહેરાવે કારણ કે અશુદ્ધ આહારાદિક લેવાવાળા અને આપવાવાળા બન્નેને મહા દુઃખનાં કારણ પ્રભુજીએ બતાવ્યા છે.
પ્રથમ અક્ષુદ્ધ આહાર લેવાવાળાની શું દશા થાય તે સૂત્ર શાખ સાથે નીચે લખીએ છીએ. | ઉતરાધ્યયન, અધ્યયન ૨૦, ગાથા ૪૭માં. કહ્યું છે કે ઉત્તેશિક એટલે સાધુને ઉદેશ રાખી બનાવેલું હોય તે, સાધુ માટે વેચાતી કોઈપણ વસ્તુ આણી હોય તે, નિત્ય પિંડ એટલે રોજ રોજ એક ઘરના આહાર પાણી લેવાં તે, ઈત્યાદિક દષની અંદર કોઈપણ દેષવાલી વસ્તુ સાધુ ઝડણ કરે તે તે સાધુ અગ્નિની માફક સર્વભક્ષી છે. અને તે અહીંથી, મરી દુગતિમાં જાય છે.
દશવૈકાલિક, અધ્યયન ૬માં ૧૮ સ્થાનક સંયમથી ભષ્ટ થવાનાં બતાવ્યાં છે. તેમાંનું ૧૩મું સ્થાનક એ છે કે આહાર ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર એ ચારે સાધુ માટે બનાવેલાં હોય અથવા વેચાતાં આણેલાં હોય તેને જે ગ્રહણ કરે તે સંયમથી ભ્રષ્ટ છે. '
ભગવતી, શતક ૧ ઉદ્દેશ ૯, બેલ ૧૭માં કહ્યું છે કે આધા કમ એટલે સાધુ માટે ભાવ ભેગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com