SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) માન ભરેલું છે, પણ હિંદુસ્થાનના પ્રાચીન વનવાસ ઉપરથી હજી કાંઈ શિક્ષા લઈએ; એ શિક્ષા મંદ નિરપેક્ષાની નહિ પણ ભરવસ્તી માં રહેતાં જેવી જીદગી આપણને ગુજારવી પડે તેને બાહરથી, અંદરથી, તેમજ ઉપરની બાજુથી તપાસવાવિષેની શિક્ષા છે તથા ધર્મભેદ સાંખી રહેવાની, મનુષ્યમાત્રને માટે સમ્ભાવ ધરાવવાની, સંસ્કૃતમાં જેને દયા કેહતા અને અંગ્રેજીમાં જેને આપણે પ્રીતિ કહિયે છિયે તે જોકે એ પવિત્ર શબ્દના અગાધ ઉંડા અર્થનું આપણને કદાચ જ ભાન થાય છે, તે વિષેની શિક્ષા છે. જે આપણે વનમાં નહિ, ને ભરવસ્તીના ચાકમાં રહેતા હોઈએ, તોપણ આપણા પડોસી સાથે એકમળતા થવા કે જુદા પડવાને લીધે તથા આપણી ખાતરજમા કરનાર ધર્મસંબંધી મતને લીધે જે લોકો આપણને ધિક્કારતા હોય તેમને ચાહવા શિખે, અથવા કંઈ નહિત જેમનાં મત, આશા, ભય તથા વળી નીતિના તો પણ આપણાથી જુદાં પડતાં હોય તેમની પાછળ મંડી તેમને હેરાન કરવા તથા ધિક્કારવાનું છોડી દેતાં શિખે એમ કરવું એ પણ વનવાસ છેએક ખરા વનવાસી-ઋષિને લાયકની તથા જે માનસ મનુષ્ય શું છે તે જાણે છે, અને પેલા અમર અને અનંતની હજુરમાં ચુપકીદી રાખવા શિખ્યો છે, તેને લાયકની જીદગી છે. બેશક, મનની આવી સ્થિતિને કંઈને કંઈ નામે ધિક્કારી કાઢવું સેહલું છે. કેટલાકે એને અપબુદ્ધિની નિરપેક્ષા કહે છે, ત્યારે બીજા કહે છે કે જુદા જુદા આશ્રમ, એટલે આપણી અંદગીની બાવાવસ્થા, તરૂણાવસ્થા અને વૃદ્ધાવસ્થાની જુદી જુદી પંકતી માટે દા ધર્મ-ભેદ રાખવા એ અપ્રમાણિક છે; તથા આપણી મંડળીના વિદાન અને અભણ વર્ગો માટે એવા ભેદ ચાલવા દેવા એ તેથી પણ વધારે અપ્રમાણિક છે. પણ આપણી આસપાસ અને આપણા અંતરમાં જેવી છે તેવો ખરેખરી બાબદી, હમણાં છે અને સદા હેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy