SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૦૮) કુવર તેના પિતાને ઓળખવાથી પતે રાજા થયો તેમજ) આપણે આપણા આત્મરૂપમાં દેખાઈયે છિયે. ધર્મ વિષયક વિચારનાં રૂપ, –00હિંયા એક ધર્મને સર્વથી સાદી અને બાળબુદ્ધિ સરખી લાગતી પ્રાર્થનાથી વધતિ જ સર્વથી ચઢતા પ્રકારની મીંમાસા સુધી હળવે હળવે ગયેલો આપણે જે છે. વેદના મંત્રના મોટા ભાગમાં આપણને વેદધર્મની બાળ્યાવસ્થા જણાય; બ્રાહ્મણમાં તથા તેઓના સંસ્કાર, સં. સાર, અને નિતિસંબંધી નિયમમાં ગદ્યસૂત્ર ઉગી તરૂણાવસ્થા જણાય; અને ઉપનિષહ્માં વૃદ્ધાવસ્થા જણાય. હિંદુઓએ, પિતાની બુદ્ધિની ઐતિહાસિક વૃદ્ધિ સાથે જેવા તેઓ બ્રાહ્મણ ગ્રંથોને પૂર્ણ હાલતમાં લાવી શક્યા, તેવાજ જે માત્ર બાળિશ પ્રાર્થનાઓને તજી દીધી હોત, તથા યનો ખાલી ગર્વ અને પ્રાચીન દેવતાનાં ખરાં લક્ષણ એકવાર તેમના જાણવામાં આવ્યા પછી જ ઉપનિષદ્ધા વધારે શ્રેષ્ઠ ધર્મને એમને બદલે ચલાવ્યો હોત, તે આપણને સારી પેઠે સમજવાને બની આવત. પણ આમ બન્યું ન હતું. જે દરેક ધર્મ વિષયક વિચાર હિંદુસ્થાનમાં એકવાર શબ્દોથી પ્રગટ કરી શકાયો, તથા એકવાર પવિત્ર વારસા દાખલ ઉતરતો આવ્યો તે સાચવી રાખવામાં આવ્યો, અને હિંદુપ્રજાની બાલ્યાવસ્થા, તરૂણાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ ત્રણ ઐતિહાસિક કાળના વિચાર, મનુષ્ય માત્રની જીંદગીની ત્રણ અવસ્થામાં સદા કામે લગાડવામાં આવતા હતા. માત્ર આ પ્રમાણે જ આપણે સમજાવી શકશે કે એક જ ધર્મશાસ, એટલે વેદમાં ધર્મ વિચારનાં ભિન્ન પ્રકારનાં રૂપ હય, એટલું જ નહિ, પણ જેને આપણે અકેકથી ઘણું કરી કેવળ વિરૂદ્ધ મત કહિયે તેઓ પણ હોઈ શકે. વેદનાં સાદાં મંત્રમાં જેઓ - વતા છે તેઓ જ્યારે બ્રાહ્મણમાં સઘળાં જીવંત પ્રાણિયોના ધણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy