SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) પ્રવૃતિને લીધે આપણે માનસની અંદગીનો સર્વથી સરસ કાળ કવિએ છિ––તે વખતે ઘણું મોડું થયા પહેલાં વિસામે લેવાનો, તેની અંદર, પાછળ અને આગળ જવાનો તેને અધિકાર હતો. મનુષ્ય માત્રની અંદગીની ખરી વૃદ્ધી, તેમાં થતો ખરો સુધારો, અને ખરી નેમ સંપાદન કરવામાં કાંઈ અટકાવ નાખવા અથવા વેગ આપવા આ બે માર્ગથી શા લાભ થયા તે વિષે એતિહાસિક વિવાદ ખુલાસા અર્થ ચલાવવો આ જગ્યાએ અઘટિત કહેવાય. જે આ પણને વિચિત્ર લાગે તેને ધિક્કારી કાઢવું અથવા જે પરિચિત હૈયા તેને શ્રેષ્ઠ કરી બેસાડવું, જેમ આપણેથી બની જવાનો સંભવ છે, તેમ માત્ર આપણે કરવું નહિ. ખચિત, આપણા વડવાઓએ બહુ અગત્યની સેવા બજાવેલી છે. પણ સંસારમાં તેમના અધિકાર અને સત્તા, તેમનાથી તરૂણ મનુષ્યના અંત:કરણમાંની સ્વતંત્ર અને લાગણીને અટકાવવા અને મંદ કરી નાંખવા માટે ઘણીક વેળા વાપરવામાં આવ્યાં છે. પેલી કહેવત છે તે ખરી પણ હેચ કે તરૂણ માને છે કે વૃદ્ધ મૂર્ણ હશે અને વૃદ્ધ તે જાણે છેજ કે તરૂણ મૂર્ખ છે. પણ ઘણાક ધર્માધિકારી અને રાજ્યાધિકારી વિષે આ પ્રમાણે કેહવું છું તેટલું જ યથાર્થ નથી કે તેમનાં મનની શકિત અને વિચારની નવિનતા જે પ્રમાણમાં ઘટે છે તેજ પ્રમાણમાં બરાબર તેમના અધિકારનું વજન ન અને સત્તા સુકર્મ કરતાં કુકર્મ માટે વધે છે? અને એટલું સ્મરણમાં રાખજે કે આ વનવાસ કાંઈ દેશનિકાળ ન હતો; એ એક અધિકાર ગણાતો અને જેણે સત્યનિષ્ઠાથી શિષ્યાશ્રમ તથા ગૃહસ્થાશ્રમના સર્વે ધર્મ પાળ્યા ન હોય, તેને એમાં દાખલ કરવામાં આવો નહિ. મનુષ્યના અંતરના નિરંકુશ વિકારોને વશ કરવા માટે તે પ્રથમની કેળવણીને અવશ્ય ગણયામાં આવતી હતી. પૂ. વગ્રમ અને પાત્રતાના આ વખતે, એટલે મનુષ્ય જીવતરના સર્વથી શ્રેષ્ઠ કાળે વિચાર અને કાર્યની બાબદમાં તેને ભાગ્યેજ છુટ હતી. જેમ શિષ્યને શિખવવામાં આવે તેમ તેને માનવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy