SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) પિલીમર જે અનંત છે, તેને પિછાનવા શિખવે છે. એનુજ નામ ધર્મ એજ ધર્મનું મૂળ. આપણે જોઈએછિએ, સાંભળ્યછિયે, ઇત્યાદી, તે સઘળી વસ્તુ અંતવાનજ છેના, નેત્રથી જુવો કે ઉપનેત્રથી, પણ કોઈ પણ સંતવાનની પેલીમેર કાંઈ અનંત છે. પ્રત્યેક બિંદુની પેલીમેર અક બીજું બિંદુ છેજ. ખરે ! જેને આપણે હક અથવા અંત કરી કહિયે છિયે, તે શબ્દ અને તે કલ્પના પોતેજ દર્શાવે છે કે તે હદ અથવા અંતની પેલીમર કાંઈ હદવિનાનું કે અંતવિનાનું છેજ-નહિતા એ શબ્દ અને એ ક૯૫ના કયાંથી ? તમે પુછશે કે મનુષ્યને તેની પાસે ઇદ્રિવતી અંતવાન વસ્તુનું જ્ઞાન મળે છે, ત્યારે અનંતનું જ્ઞાન તે કયાંથી લાવ્યો? પણ એમાં પુછવાજેવું શું છે? જે ઇનિવડે એને અંતવાનની જાણ થઈ, તેજ વેળા, તે તેને અનંતનું પણ ભાન કરે છે. પ્રત્યેક વસ્તુ, જેને અંત હજી મને નથી જણાતો એવું માનસ સમજે, તે વસ્તુ તેને મન અનંત. અને જે કે આ અનંતને જોતાં કરતાં આપણે કશાને ગણી, સરખાવી, ભાપી કે નામ આપી શકતા નથી, તે પણ અનંત સરખું કાંઇક છે એતો આપણે જાછિયે. તે અનંત આપણે જાછિયે એટલું જ નહિ, પણ તે આપણને લાગે છે, કારણ આપણે બધી બાજુએ તેની અડેઅડ ઉભાછિયે. ખરું કહે તે આપણે અદશ્ય (જે અનંતનું બીજું નામ છે) ને જેઈછિએ. તમે પુછશો, ભાઈ અદશ્ય (નહિ દેખાય તેવાં) ને જેવાય કેમ? પણ એમ બને છે. તથાપિ, જે અદશ્ય ને જાછિયે એમ બેલવું અયુતાભાસ (paradox) કે શખષ જેવુ લાગે, તો કહે કે તે અદ્રશ્ય આપણી આંખમાં, કાનમાં આદિ, ઠોકી ઠોકી કહે છે કે, લો આ રહ્યો. હું અદ્રશ્ય. આંખ, કાનાદિ જે ઘડીએ અંતવાન ને જુવે છે, સાંભળે છે ઇત્યાદી, તેજ ઘડિયે તે અનંતને પણ જુવે છે, સાંભળે છે આદિ. અને એટલું જ નહિ. ધારો કે એક માણસ એક ઉંચા પર્વત ઉપર, કે એક વિરતીર્ણ મેદાનમાં, કે એક દ્વિપઉપર ઉભે છે, જે દ્વિપ એક અપાર સમુદ્રની માંહિ છે અને જેને માથે આસમાનને ધેરાવ ફરી વળ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy