SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) તો તેઓ એટલે સુધી લખી ગયા છે કે પ્રજાપતિના આખરે ક. કડા થઈ ગયા અને એક દેવ અન્ય શિવાય બીજા સઘળા દેવો એની પાસેથી જતા રહ્યા. અને ખરેખર એવું જ બન્યું, જોકે તેના પૂજરિયો ધારતા હતા તેથી જુદી રીતે બન્યું. હિંદુ પ્રજાની બુદ્ધિ વધારે અને વધારે દ્રઢ થઈ અને થતી ગઈ. અનંતની પાછળની પોતાની શોધમાં - ડોક વખત તે પર્વત અને નદિ ઉપર આધાર રાખી, તેઓ પાસે પિતા માટે રક્ષણ માગી, અને તેઓના અનંત પ્રતાપની સ્તુતિ કરી તે બુદ્ધિ સંતોષ પામી, જોકે એ સઘળો વખત પૂજારિયોને એમ લાગતું હતું કે એ સઘળા પદાર્થો કોઈ બીજી વસ્તુ, જેનો શોધ કરવામાં આવતો, તેનાં માત્ર ચિન્હ છે. આ પણા આર્ય પૂર્વજે તે વેળા આકાશ, સૂર્ય અને મહારાણી જેવા શિખ્યા હતા, અને એ સઘળામાં તેમને એક જીવતી શક્તિની સમક્ષતા દેખાતી, જે શક્તિ તેઓની ઈદ્રિથી અર્ધ-પ્રગટ (૨૫૪) અને અર્ધ-ગુહ્ય હતી, અને તેજ ઈદ્રિ જે કાંઇ ગ્રહણ કરી શકતી તેની પેલી મેર પણ કાંઇ છે, એવું સદા નિર્માણ કરતી. તેઓ હજીપણ આગળ વધ્યા. પ્રકાશિત આકાશ તે એક મકાશ આપનાર છે એમ તેઓને જણાયું; સઘળે ફરીવળેલું ગગન એક ઘેરી લેનાર છે એમ તેઓને જણાયું. ગર્જનાના કડાકામાં અને તુફાનના જોરમાં તેઓને કોઈ પકારકરનાર અને વિકાળ મારનાર હોય એમ લાગ્યું અને વરસાદમાંથી તેઓએ ઈદ્ર અથવા વરસાદ આપનાર ઉત્પન્ન કર્યો. તે પણ આ છેલી યુક્તિ જે તેઓએ રચી તેમાં પહેલો પ્રત્યાઘાત એટલે સંશય પણ આવ્યો. જ્યાં સુધી પ્રાચીન આર્ય પૂજારિચોને પોતાના વિચારે ટેકાવવાને માટે કોઈ સ્પષ્ટ અથવા સ્પેશ્ય વસ્તુનો આધાર હતા, ત્યાં સુધી બેશક તેઓની ધર્મસંબંધી તગા, જેટલું ખરેખરૂં અવલોકન તેઓ કરતા હતા તેથી બહુ આગળ ગઈ હેય; તે પણ જેમને તેઓ પોતાના દેવ અથવા ઇશ્વર કેહવા ઠીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy