SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૩). તેણે યથાર્થ મેહનત કરી હોય, તે તે જગ્યાએ તેને માત્ર કટ કચરજ માત્ર મળ્યો નહિ હોય, પણ તેને નિર્વાહ ચાલે એટલે ખોરાક મળ્યો હશે, જો કે તેણે આખા જન્મારા સુધી ઉદાસી વચે જ ભજન કરેલું કેહવાય. - એ તો સમજવું સહેલું છે કે, જે એક સંપૂર્ણ વ્યાકરણ અને શબ્દકોશ એકાએક સ્વર્ગમાંથી ઉતરી આવ્યાં હોય, તે પણ જે પ્રાણિ પિતાની ભાસનાને વધારી ભાવના બનાવવાને અશક્ત હતા, અને જેઓને એક ભાવના સાથે બીજીને શો સંબંધ છે તેની ખબર નહતી, તેવા માણિને ઉપલાં દેવદત્ત વ્યાકરણ અને શબ્દકોશ નિરઉોગી થઈ પડત. એ તો માત્ર કોઈ પારકી ભાષા જેવું થાત, અને જેને પોતાની ભાષા સમજવાનું ઠેકાણું નહિ, તે પારકી ભાષા શું સમજવાના? આપણે બહારની સહાયતાથી પારકી ભાષા સમજી શકશે. પણ ભાષા અને ભાષા એટલે શું તે તે નિજઅંતરથી સમજવું જોઈએ. એ જ પ્રમાણે ધર્મ સમજવો. કોઈ ખ્રિસ્તિ-ધર્મ-કથા દૂતને પુછે, કે જે લોકોને ધર્મ શું તેનો વિચાર નથી તેમની આગળ ખ્રિસ્તિ ધર્મના ભેદ પૂર્ણ રીતે સમજાવી શકશે? તે ઘણું કરે છે એટલું જ કે તુચ્છમાં તુરછ જંગલિયોમાં પણ જે થોડાં ઘણાં ધર્મનાં મૂળ છે તે શોધી કાઢે, જો કે એ મૂળ કદાપિ ધ્રુવના ઉંડા પડમાં છુપાયેલાં હોય. આ મૂળિયાં જે ઝારવાંથી સુકાઈ ગયાં હોય તેને તેડી નાખી તેમને ફરી ઉગાડે અને પછી જે જમીનમાં જ માત્ર ધર્મનાં સ્વાભાવિક બીજાના પીલા ઉગે તે જમીન ફરી એક ચઢતા પ્રકારના ધર્મનાં બીજની વાવણી માટે તથા એ બીજને પુષ્ટિ આપવાને માટે યોગ્ય થાય, ત્યાં સુધી ધીરજથી ઉભો રહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy