SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ જે સુસ્થિર સંસ્કાર ઘડાય છે તેને જ ધારણ કહેવાય છે. ધારણ દટ થાય તેમ પુનઃસ્મરણ તરત થાય. કેટલાક જૈન દાર્શનિકો માને છે કે અવાય અને ધારણાની વચગાળાની સ્થિતિનું નામ સ્મરણ છે. સ્મરણને અવિચળ રીતે રાખવું એનું નામ ધારણા છે. “અવિષ્ણુઈ હેઈ ધારણા” એ રીતે જે વિષયને સ્થિર કર્યા બાદ તે સ્મૃતિશેપ ન થાય તે ધારણ છે. ઘણા વિદ્વાને ધારણાને વિશ્રાંતિની અવસ્થા માને છે. જે નિશ્ચયપૂર્વક ગ્રહણ કરાય છે અને તેની સ્મૃતિના ખાનામાં વિશ્રાંતિ એ જ ધારણા છે; જે પુનઃસ્મરણ વખતે જાગૃત થઈ જાય છે. પુનઃસ્મરણ : ધારણાને બીજે એક પક્ષ છે પુનરાવર્તન. ગ્રહણ અને પુનઃ સ્મરણની વચલી અવસ્થામાં ગ્રહણ કરેલી વસ્તુને વારે ઘડીએ પુનરાવૃત્તિ કરવામાં આવે છે. આ પુનરાવૃત્તિ ધારણાને વધારે ચોકકસ બનાવવા માટેની અવસ્થા છે. તેથી પુનઃસ્મરણ સરળતાથી થાય છે. વિષયને સતત ગ્રહણ કરવાથી જ્યારે દક્તિ થાકીને લોથપોથ થઈ જાય છે. એટલે આંખ, કાન, નાક વગેરે ઈન્દ્રિયોને છેડે થોડે આંતરે વિશ્રાંતિ આપવી જોઈએ. આ ગાળામાં ગ્રહણ કરેલ વિષયનું પુનરાવર્તન કરવું જોઈએ. સારી પેઠે ગ્રહણ કરેલી વસ્તુ પણ પુનરાવર્તન ન કરવાથી મગજમાંથી સરી જાય છે. આ અંગે ગુરુ ચેલાને એક સંવાદ સુપ્રસિદ્ધ છે. ગુરુ પૂછે છે : વાર કે, ઘોડા એ વિદ્યા વીર નાથ !...! तळे पर रोटी बले कहो चेला किण न्याय ? ચલા જવાબ આપે છે ;-“ગુરુજી કે નાય !” એટલે કે પાન, ઘડે, વિધા અને રે ટલી એ ચારેયને ફેરવવામાં નહિ આવે તે બગડી જાય છે. પાન સડી જાય છે; ઘોડે આડયલ બને છે. વિધા ભૂલાય છે અને તાવ ઉપરની રોટલી બળવા લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy