SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ શુ આપના એ ના રહી શકે તે રીનાએ છીએ. પણ કે અન્ય લિગે પણ સિદ્ધત્વને પામી શકાય છે, એ જોતાં જેન અને અન્ય લિંગ (પ) પણ મેક્ષસાધનના અંગે છે. આપ જ્યારે મેક્ષસાધના માટેના સંથારા જેવા તીવ્રતમ તપની આરાધના કરી રહ્યા છે, ત્યારે મુમુક્ષુને સાધના કરવા માટેનાં સ્થાનકો ઉપાશ્રય જૈન લિંગના સાધુસાધ્વીઓ ઉપરાંત સર્વ લિંગના સુવિદિત સાધુસંન્યાસી રહી શકે તે રીતે ખુલ્લાં મુકાય, તેવી ઉદ્દઘણું આપના મુખે થાય, તેવી અમે વિનંતિ કરીએ છીએ. ઘણાખરાં વૈદિક ધર્મસ્થળ, સંન્યાસાશ્રમ, વૈષ્ણવ મંદિર કે રામમંદિર તેમ જ ચૌરાઓએ વૈદિક અને હિંદુ સાધુ ઉપરાંત જૈનસાધુને આશ્રય આપે જ છે, (આપે છે) એટલે આપણે પણ એટલા વિશાળ ને વ્યાપક બની મુમુક્ષુનાં સાધના-સ્થાનકે સર્વ માટે ખુલ્લાં કરીએ, તેમાં જૈનધર્મના વ્યાપક સ્વરૂપને સાક્ષાત્કાર થશે; આપના આ અનશન નિમિત્તે આપના તરફથી આવી ઘોષણા થાય તે આ પ્રસંગની સ્મૃતિ દીર્ધકાળ સુધી રહેશે અને જનતાને વ્યાપક ધર્મને માર્ગે દોરી જશે. આપના હિતાકાંક્ષી –સર્વ શિબિરાર્થીઓ જેમાં આ પત્રની કેટલી અસર થઈ, એ તે પ્રભુ જાણે! પણ પરિણામ પ્રતિ જોયા વગર નૈતિક હિમ્મતથી શિબિરાર્થીઓએ તે પિતાના ધર્મ બજાવ્યો જ. શિબિર દરમ્યાન તા. ૧૫-૧૧-૧૧ના મુંબઈ સમાચારમાં એવા સમાચાર આવ્યા કે રંગૂન નજીક એકલાયા ખાતે ર૦ બૌદ્ધ સાધુઓ ની સશસ્ત્ર આગેવાની હેઠળ એક મોટા ટોળાંએ મુસ્લિમધર્મસ્થાનકોને આગ લગાડી અને કેટલાક મુસ્લિમોને રહેંસી નાખ્યા હતા. સાધુઓ દ્વારા થતું આ હુલ્લડ સાધુસાધ્વી શિબિરને માટી ઉપજાવે તેવું હતું. એટલે શિબિર તરફથી તત્કાલ એક પત્ર લખીને વર્લી (મુંબઈમાં) આવેલ ૌહવિહાર ઉપર જણાવવામાં આવ્યું કે તેઓ એને માટે ત્વરાએ પત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com એકલાયા છે લા આગેવાની કળા છે.
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy