SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ મને આમ વાત કરતો જોઈને એક જણે કહ્યું : “જે જે ફરીને આવી વાત કરતા નહીં–નહીં તો તમારી ખેર નહીં રહે !” શહેરેની આ દશા છે. ગામડાંમાં જુદી દશા છે. એટલે શહેરના અનિષ્ટ કેવી રીતે કાઢી શકાય? તે સવાલ છે! ” શ્રી. દેવજીભાઈએ કહ્યું : “માતૃસમાજે જરૂર આ કામ ઉપાડી શકે. બહેનોમાં સંસ્કારો રેડવાથી તે સમાજને સુંદર બનાવી શકશે !” માતૃસમાજની તેમજ ઘાટકોપર ચાતુર્માસની કેટલીક વાત થઈ. ત્યાર પછી સવારની વાતને લઈને વિચારણા કરતાં એમ સાર નીકળ્યો કે – (૧) બન્ને પક્ષે જાગૃતિ રાખવી. એટલે સવારે ખાનાવાળા ઘડાની વ્યવસ્થા ન હતી તે બરાબર રાખવી તથા આવનાર ભાઈ પણ ટિકિટ લીધા વગર જ્યાં ત્યાં બુટ, છત્રી વિગેરે ન મૂકે. (૨) સામાન્ય રીતે ધર્મસ્થાનકમાં ઉપલાને મધ્યમ વર્ગના લોકો આવે છે. નીચલા થરના કે ઝૂંપડાવાળાઓ લગભગ આવાં અનિષ્ટને જ વ્યવસાય લઈને બેઠા હોય છે. એટલે નીચલા થરને સંપર્ક સાધી, એવામાં કામ કરતું થવાય તે જ જડમૂળથી આ રોગ જઈ શકે. (૩) સ્વયંસેવકોથી આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ ! આમ મુક્ત મને સહુએ ચર્ચા કરીને ઘણું જ જ્ઞાન અને આનંદ મેળવ્યાં. આજની ચર્ચા ઉપરથી ભવિષ્યમાં વિષયની ચર્ચા-પ્રસંગે ચર્ચા વગેરે અંગે સહુને આછો ખ્યાલ આવ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy