SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ વિચારકે, કેળવણીકારો અને સામાજિક કાર્યકરે -સાધુ-સાબી શિબિર થાય છે એ ઘણું સારું છે. એની ખૂબ જરૂર હતી. -રવિશંકર મહારાજ – ગુજરાતના મહાસેવક –સાધુ-સાધ્વી શિબિર અંગે વાતો થઈ. કામ સારું છે એટલું જ વિકટ છે. –(સ્વ) મહાત્મા ભગવાન હીન જી. –પરમાત્માની કૃપાથી શિબિરનું કાર્ય આપની શુભેચ્છાનુસાર સફળ થાય એ જ પ્રાર્થના છે. –શ્રી કેદારનાથજી –સાધુ-સાધ્વી શિબિરની કલ્પના સારી છે. અનેકાંતમાં અને સમન્વયમાં માનનારાઓ હવે બધા ધર્મને સાધુ-સાધ્વી સંતના પરિચયમાં આવવા લાગ્યા છે એ જ એક મહત્ત્વની પ્રગતિ છે. | મારો અનુભવ છે કે આવા શિબિરોમાં સહજીવનની અસર આપણે માનીએ છીએ તેના કરતાં વધારે ઊંડી થાય છે અને તેથી આ પ્રવૃત્તિને હું હાર્દિકે આવકાર આપું છું અને સંયોજકને અભિનંદન આપુ છું. . –કાકાસાહેબ કાલેલકર – સાધુ-સાધ્વીઓની દિશા જે આપની પ્રેરણાથી થોડીક બદલાઈ જાય તો લોકોને બહુ મોટે ઉપકાર થશે. સાધુ-સાધ્વીઓ નિસ્પૃહ અને નિરપેક્ષ હોય છે. આવી નિબૃહ અને નિરપેક્ષ વ્યકિત વિશ્વકુટુંબની ભાવનાથી ઓત-પ્રોત થઈ માનવ જીવનની સમસ્યાઓ સમજવા અને ઉકેલવામાં લાગી જાય તે તેમનું સાધુત્વ સાર્થક થશે અને લોકોનું જીવન પણ ઉન્નત થશે, -દાદા ધર્માધિકારી – સર્વોદય નેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy