SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ ઉપરછલી ગણતરી પ્રમાણે ભારતમાં ૫૬,૦૦૦૦૦ સાધુઓ છે. સંસારનો ત્યાગ કરીને નીકળનારા આવડી મોટી સંખ્યામાં ક્યાંયે મરજીવા માણસે નહી મળે ? કોઈ પણ દેશમાં નહીં મળે. આ સાધુઓની પોતાની અલગ વસતિ, મસ્તી અને હસ્તી છે. ભયંકર તડકામાં ધૂણ બાળીને, કેવળ લગેટ પહેરીને, શિયાળામાં ઉઘાડા શરીરે રહીને, મસાણ. ગુફા કે ખંડેરામાં પડ્યા રહેવુ-એને એક વર્ગ માધુતા માને છે; બીજે વર્ગ કેવળ ધર્મોપદેશમાં સાધુતા માને છે; ત્રીજે વર્ગ વૈભવ-વિલાસની છોળો વચ્ચે મહંતશાહીમાં સાધુતા માને છે. પરિણામે “સાધુ' અંગેની સ્પષ્ટ છાપ કે વ્યાખ્યા ખુદ ભારતના લોકો પણ જાણતા નથી. આમાં કેટલાક ઢોંગી, ધૂતારા, પાખંડી, ગુનેગાર પણ હોય છે. પરિણામે “સાધુ” એટલે આવા પ્રકારની વ્યક્તિ–તેણે આજ કરવું જોઈએ.” તે અંગે કોઈ સ્પષ્ટ સાધુ-આચારસંહિતાના અભાવે-આવડી મોટી ત્યાગ-વૈરાગ્ય અને લેકજીવનનો ઉત્કર્ષ કરનારી શક્તિ લગભગ વેડફાઈ જાય છે. આજે રાષ્ટ્રનું આઝાદી બાદ નવઘડતર થઈ રહ્યું છે. આ ઘડતરમાં સક્રિય સાધુ-સમાજ ચોક્કસ ધ્યેય-ઉદ્દેશ્ય સાથે કાર્ય કરે– માર્ગદર્શન આપે તે કેટલું બધું ભવ્ય કાર્ય થઈ શકે ? તેનાથી કરે માનવ દીવા જ્યોતિર્મય બની શકે. પણ આ બધું થાય કયારે ? જ્યારે ભેગા મળાય, વિચારોની આપલે થાય ત્યારે જ! નહીંતર આ મનાતા સાધુવર્ગના પરિપરના વિરોધી વિચારો અને સંતોના કારણે માનવ-માનવ વચ્ચે વાડાઓ બંધાઈ જવા; સઘર્ષો થવા તેમજ પિતાની સર્વોપરિતા જાહેર કરવા બીજાને ઉતારી પાડવા—આ બધા માનવતા-વિરોધી પ્રવાહ વચ્ચે માનવતાના દીવડાઓને પ્રકાશ રંધાઈ જવાને. એવું નથી કે બધા સંત કે સાધુઓ મળવા માગતા નથી : કે સંકલિત થવા ઈચ્છતા નથી. તેમને ઇચ્છા તે થાય છે પણ તેમ કરવા માટે કોઈ ખરું માર્ગદર્શન મળતું નથી. સર્વધર્મ પરિષદ અને વિશ્વધર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy