________________
મનાઈ કરી છે. તે વખતે જે મા તેને કંઈક ગળપણુ આપે તે તેના રોગમાં વધારે જ થશે. અહીં ખરેખર દબાણ રોગી ઉપર નહીં પણ રોગ ઉપર છે. એટલે સમાજમાં જ્યાં અનિષ્ટ ચાલતાં હોય; ફૂલતાંફાલતાં હોય ત્યારે તેમને અપ્રતિષ્ઠિત કરવા માટે સીધું દબાણું અનિષ્ટ કાર ઉપર અને આડકતરી રીતે અનિષ્ટ ઉપર લાવવું જ પડશે. તે વખતે સમાજ હિતેશ્રી પુરુષો સામાજિક મૂલ્ય સાચવવા માટે દબાણ નહીં લાવે તે સમાજ વ્યવસ્થા બધી ચૂંથાઈ જશે. છોકરાને ફડકે થયો હોય અને મા પંપાળ્યા કરે તે છોકો હેરાન થાય. ત્યારે માએ પરૂ કાઢી નાખવું જ જોઈએ. એવી જ રીતે સામાજિક અનિષ્ટોના ફડકાને સમાજસેવકેએ પંપાળ નહિ પણ દબાણ લાવીને સાફ કરી નાખવું જોઈએ.
ગાંધીજીને બીજો એક પ્રસંગ છે. તેઓ જેલમાં હતા, ત્યારે કાકાસાહેબે એક વાર કહ્યું : “આજે મારે પપૈયું ખાવું નથી !”
પછી બાપુજી માટે કોઈ પપૈયું લાવ્યું. કાકાસાહેબનું મન વિચલિત થયું. તેમણે પપૈયું ખાઈ લીધું. બાપુને ખબર પડી તો તેમણે તેને ગંભીર અર્થમાં લેખીને કહ્યું : નેતાની વધારે જવાબદારી છે. તેની ઝણામાં ઝીંણ વાતનું અનુકરણ સમાજ કરે છે. જગત આપણી સામે મટ માંડે છે. આપણે વ્રત લઈને તોડીએ તે ન ચાલે !” તેમણે પ્રાયશ્ચિતરૂપે પપૈયું આજીવન નહીં ખાવાનો નિર્ણય કર્યો. કાકાસાહેબને . પણ ભૂલ સમજાઈ અને તેમણે પણ પપૈયું છોડ્યું.
જ્યારે અહીં સ્વરાજ્યની લડત ચાલતી હતી ત્યારે ચર્ચિલ યુદ્ધ ચલાવતા હતા. તે વખતે તેને વધારે તાણ ન પડે તે માટે રવિવારે પિકેટિંગ બંધ રાખવાનું Íધીજીએ સૂચવ્યું હતું. એક બાજુ ચર્ચિલને રવિવાર માટે ચિંતા ન વધારવી. બીજી બાજુ સુભાષબાબુને કેંગ્રેસમાંથી રાજીનામું આપવું પડે તેવી પરિસ્થિતિ સર્જવી. એ બાપનું “છે યુદ્ધ તે જગવવું. પણ પ્રેમ રાખી !” સૂત્રને ચરિતાર્યા કરતું હતું. કયારેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com