SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તે વખતે દુર્યોધન કહે છે – सूच्यग्रं नैव दास्यामि विना युद्धेन केशव । -“ હે કૃષ્ણ! યુદ્ધ વગર હું સોયની અણી જેટલો પણ ભાગ નહી આપું.” શ્રીકૃષ્ણ તેને યુદ્ધમાં ભયંકર પરિણામો સમજાવે છે અને તે ન કરવા સમજાવે છે. પણ તે માનતા નથી. કૃષ્ણ પાછા ફરે છે. તે જ માણસ નિર્લજજ થઈને ભગવાન કૃષ્ણ પાસે પાછો ફરે છે અને કહે છે: “મારે લડાઈ કરવી છે. મને મદદ કરે !” જેણે કૃષ્ણની એકેય વાત ન માની, વિષ્ટિકાર તરીકે તેમનું સ્વાગત તે બાજુએ રહ્યું; અભિમાનવશ અપમાન કર્યું, તેને બીજે કોઈ હોય તે ઘસીને ના પાડી દે ! પણ આ હતા શ્રીકૃષ્ણ! તેમણે ઠંડે કાળજે કહ્યું : “ તું અને અર્જુન બે જણ મારી પાસે મદદની માગણું કરવા આવ્યા છે ! અર્જુન અને તું બન્ને મારા કુટુંબી અને મિત્ર છે. મારે તમારા બન્ને ઉપર સરખો ભાવ છે. તે છતાં અર્જુન પહેલો આવ્યો છે; એટલે માગવાને એનો હક્ક પલે !” દુર્યોધન વિચારે છે કે વાત તે વ્યાજબી છે અને તે હા પાડે છે. શ્રીકૃષ્ણ કહે છે : “મારી પાસે બે વસ્તુઓ છે. એક તે હું પોતે અને બીજામાં મારી નારાયણી સેના. બનેમાંથી ગમે તે એક વસ્તુ અર્જુન પહેલાં માગી શકે છે !” | દુર્યોધન વિચાર કરે છે કે આ અર્જુન કયાંક સેના માગી બેસશે તો આપણે મુશ્કેલીમાં મૂકાવું પડશે. અર્જુન શ્રીકૃષ્ણને માગી લે તે સારૂં! કારણ કે એમણે શાસ્ત્ર-સન્યાસ કર્યો છે, એટલે નિરાંત રહેશે. અર્જુન અહીં બે દષ્ટિએ વિચારે છે. એક બાજુ સભ્યતા (ઉપર છેલ્લો શિષ્ટાદ્યાર સંખ્યા વગેરે) છે અને બીજી તરફ સંસ્કૃતિના પ્રતીક સમા શ્રીકૃષ્ણ છે. હવે કોને પસંદ કરવાં ! સંસ્કૃતિની રક્ષા, સંસ્કૃતિના ક્ષકથી જ થાય છે. તે માટે દુનિયાને જતી કરવી હોય તો જારી કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy