________________
અદાલતને તે પૂરા જોઈએ. તેણે કહ્યું: “ભાઈ તારે આની સામે શું કહેવું છે ?”
એણે કહ્યું: “દીકરાના સેગન ખાઈને સાચું કહે તે બધુ યે સાચું માની લઉં. બાકી મારા દીકરાના સમ ખાઈને કહું છું કે આ બધું તરખટ છે.”
તરત પેલા ખેડૂતે સાચું કબૂલી લીધું.
એવો જ એક ભાડુઆતને કિસ્સે હતો. માલિકણ મારા ફેઇને પુત્રી હતા પણ સગાવાદ ન કરતાં, હું જાણતો હતો કે પેલે ભાડુઆત સાચે હતે. એટલે એની વાતને ટેકો આપ્યો. પ્રથમ તે બહેનને ખોટું લાગ્યું. પછી તેમને મારા ઉપર સારે ભાવ થઈ ગયો.
એવી જ રીતે એક ભાડુઆતે પિતાના મકાનમાં રહેતી મુસલમાન બહેને અન્યાય કર્યો હતો અને મને ફેસલા વિષે પૂછ્યું. બાઈ સાચી હોને મારે તેના પક્ષે ઊભા રહેવું પડ્યું. પહેલાં તે મુશ્કેલી પડી પણ અંતે તે સત્ય અને ન્યાયને જ જગત જુએ છે. દુર્ભાગ્યે એક કિસ્સામાં જૈન સાધુ પણ સગાવાદમાં તણાયેલા પણ અંતે તે તેમને પણ સમજાયું. ' કહ્યું: “જે આવા વ્યકિતગત કિસ્સામાં આપ રસ લો છો; તો સામુદાયિક પ્રશ્નોમાં સત્ય-ન્યાય જાળવવાના રસમાં પ્રેરણા આપતા આપની સાધુતાને ક્યાં બાધ આવે છે?
એકદમ નહીં, પણ ધીમે ધીમે તે ગળે વાત ઊતરે જ છે. સાચે તે ક્યાં તાદામ્ય કેળવવું અને ક્યાં તટસ્થ રહેવું એને વિવેક એ જ આ અંગેનો પાયો છે.
(૨૪-૭-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com