SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ નમવાનું મન તેને થાય; કારણ કે તેણે નવ મહિના ગર્ભમાં રાખ્યો, તેણે એને પ્રસ અને ત્યાર બાદ પણ તે જ્યાં સુધી ચાલતો-ફરત અને સંસારમાં પગ માંડતા ન થાય ત્યાં સુધી તેની કાળજી રાખનાર મા હેય છે. માનું હૃદય હમેશાં વાત્સલ્ય-અમૃતથી ભરેલું હોય છે. એટલે તેને “દેવ' કહીને પૂજવાનું કહેવામાં આવ્યું. (૨) પિતૃદેવો ભવ: પણ મા સાથે બાપને પણ પિતાના કુટુંબને છાડ ફલેફૂલે તે માટે ચિંતા કરનાર ગણવામાં આવ્યો છે. પિતાના પુત્ર-પુત્રીઓના ઉછેર માટે કુટુંબ માટે દરેક બાપ તનતોડ મહેનત કરે છે. ઉપરાંત બાળક તેના બાપનું નામ ચલાવનાર હોય છે. આમ પિતાને પૂજનીય કહી, તેને “દેવ” ગણુને નમન કરવાનું કહેવામાં આવ્યું છે. (૩) આચાર્ય દેવે ભવ : જીવનને જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ કેવળ ઘર અને આંગણું જ માણસને સ્પર્શતા નથી. તે બહાર પણ પગલાં માંડે છે. પિતાના જ્ઞાન માટે તે ગુરુને શોધે છે. આવું જ્ઞાન ન મળે તે તેને વિકાસ ન થઈ શકે એટલા માટે એ ગુરુને માણસે પૂજનીય માનવો જોઈએ. તેને નમન કરવું જોઈએ. ભારતમાં ગુરુઓને પગે પડવાની પ્રથા આ સૂત્રના કારણે આવી છે. અતિથિ (૪) અતિથિદેવભવ : ગુરુ પાસે જ્ઞાન મળતાં, અને જીવનમાં આવતાં માણસને ખ્યાલ આવે છે કે મારા વિકાસમાં સમાજનો મોટે ફાળે છે. તેણે ઘણું આપ્યું છે. એટલે મારા આંગણે કોઈ પણ અતિથિ આવે તે મારા માટે દેવ સમાન છે અને મારે એ રીતે એને સત્કાર કરવો જોઈએ. કહેવત છે કે ઘરે આવ્યો તે માંડીને જાય ! જૈન ગૃહસ્થ માટે તે “અતિથિ સંવિભાગ” નામનું વ્રત મૂક્યું છે. અતિથિર્યસ્ય ભગ્રાશો ગેહાતુ પ્રતિનિવતર તે; સાતમે દુષ્કત દવા પુણ્યમાદાય ગચ્છતિ ” આ નીતિકમાં એ જ બતાવ્યું કે અતિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com જોઈએ. અતિથિ તિ ,
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy