________________
૨૨૩
પ્રશ્ન ખાસ નડશે નહીં. અલબત્ત ખાદીની પાછળ સાદાઈ, શ્રમ અને સંયમ તથા ત્યાગની ભાવના છે. તેને લીધે “કોતે તે પહેરે” એ પાયાની વાત પણ ન ભૂલાવી જોઈએ.
પડદાની વાત સૌરાષ્ટ્રના થોડાંક કુટુંબીઓ માટે ભારે છે. તેવું અન્યત્ર નથી. તેમજ એ સવાલ લાંબો ટકવાનું નથી. ઘણીવાર આવી નાની બાબતેના બહાના આપી કાર્યકરે પોતાની નબળાઈને ઢાંક્તા હેય છે. તે વાત પણ સમજવા જેવી છે. ભારતીય નારી એક આદર્શ નારી બનવા માટે હંમેશ મથતી હોય છે. એટલે પતિ જે તેને ઊંચે માર્ગે દોરે તે તે ગમે તેવું બલિદાન પિતાના પતિ પાછળ આપી શકે છે. પણ સાથે સાથે જે એ પતિની કોઈ મૂળભૂત નબળાઈ; પત્ની જોઈ જાય તો એ કૃત્રિમ પ્રેમ પાછળ તે બલિદાન આપી શકતી નથી; અને શંકાશીલ બની જાય છે. કાર્યકર આવી પત્ની પાસે ક્રાંતિનું કામ કરાવી શકતો નથી; જેથી સમાજમાં તેની પોતાની સારી છાપ પડતી નથી.
એટલે મૂળે ઊડે સંયમ હોય, ધીરજ હૈય, દષ્ટિ અને પ્રેમ વિશુદ્ધ હેય તે તે પત્નીના દિલમાં પેસી શકે છે અને આવા અનેક પાયાના ફેરફારે તે ક્રમેક્રમે પત્ની, બાળકો અને કુટુંબમાં કરાવી શકે છે. ક્યારેક નાની વાતને વધારે પડતે આગ્રહ રખાય છે અને મોટી વાત ભૂલાવી દેવાય છે. એમ ન થવું જોઈએ.
બીજી એક વાત કાર્યકરે યાદ રાખવાની છે, તેના ઉપર કદાચ સામાજિક સાનુકૂળ કે પ્રતિકૂળ સયોગની અસર ઓછી થાય પણ તેની પત્ની ઉપર બહુ મોટી થાય છે. એટલે કે આસપાસના સમાજના સગે આવા પાયાના ફેરફાર માટે અનુકૂળ બનતાં રહે તે વિષે કાર્યકરે સાવધાન રહેવું જોઈએ. એટલું જ નહીં બલકે કાર્યકરે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com