________________
૧૭૯
જે દેશે ઓછા થાય–વિશુદ્ધ સંગઠન દ્વારા શુદ્ધિની પ્રક્રિયા વડે દેશે દૂર થાય તે સામેની વ્યક્તિ કે સમાજ ઉપર તેની અસર થયા વગર રહેશે નહીં !
એટલે કે પરદેશી સંસ્કૃતિનાં જે સારાં ત છે તેને જરૂર અપનાવવાં પડશે. પણ, અર્થ અને કામ ને દૂર કરવા પડશે. તે માટે ડંખ રાખ્યા વગર કાર્ય કરવાનું છે.
ધર્મ જ્યારે વણાઈ જાય ત્યારે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે; અને જીવન એટલે સમાજજીવન પ્રજા જીવન, એ અર્થ કરવાનો. આ પ્રજા આખા વિશ્વમાં છે. એટલે સંસ્કૃતિના વિશાળ અર્થમાં વિચારીએ તે પરદેશી સંસ્કૃતિ એ માનવ સંસ્કૃતિની એક અંગ હઈ તેને દેષ સરકૃતિને દોષ છે. તે દેષની વૃદ્ધિ કેમ થઈ ? તેને વિચાર કરતાં એ સ્પષ્ટ થશે કે આપણે વ્યાપક અને સર્વાગી ભારતીય સંસ્કૃતિને જોઇએ તેવો પ્રચાર કર્યો નથી. એટલે અનાક્રમણ ઢબે આપણે આપણું દોષ દૂર કરવાને છે. તે માટે અનાક્રમણના જે અવશેષો છે, તેનું સંકલન કરે, જગત આગળ મૂકવાના છે. તેથી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધશે. અને સૂર્ય ઉદય થતાં અંધારું જાય, તેમ લેકકલ્યાણકારી ભારતીય સંસ્કૃતિ આવતાં, સ્વાર્થ અને વિલાસની પરદેશી સંસ્કૃતિ આપોઆપ મટી જશે. આમ સંસ્કૃતિની પ્રસ્થાપનામાં અનામણવૃત્તિને સિદ્ધાંત વહેવારિક રીતે અસરકારક બનશે.
ચર્ચા-વિચારણા
અહિંસક પ્રતિઆક્રમણ કે સામને !
શ્રી. દેવજીભાઈએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “સવારે પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજે જે મુદ્દો ચર્યો હતો તેના અનુસંધાનમાં મારા અનુભવે ટાંકું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com