SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ समा समेत राम अनुरागे, दूत हिं देन निछाबनि लागे ! પણુ દૂતો લેતા નથી અને કહે છે – कहि अनीति ते हिं मूदे हि काना, घरमु समजी सबहीं सुख माना –બહુ ટુંકો અર્થ કરે છે કે અમે આ લેવાના અધિકારી નથી. એક દૂત જેવો માણસ પણ કેવી ઉચ્ચ ભાવના રાખે છે? આ પ્રસંગ આજના અમલદારોએ સમજવા જેવો છે. (૨) બીજો પ્રસંગ છે ગુહરાજને. તે પોતાની હેડીમાં સીતા અને રામ-લક્ષ્મણને બેસાડીને સામે કિનારે ઊતારે છે. ત્યારે કોઈની મફત સેવા રામને લેવી ગમતી ન હોઈ તે સીતાને ઈશારે કરે છે ! કારણ કે તેમની પાસે તે કશું હોતું નથી ! સીતા ગુહને પિતાની વીંટી આપે છે, ત્યારે ગુહ બહુ જ માર્મિક શબ્દોમાં કહે છે – नाथ आजु हम काहन पाबा, मिटे दोष दुःख दारिद दावा ! –નાથ ! તમે તે જગતનું કલ્યાણ કરવા નીકળ્યા છે અને હું તમારી સાથે ઘરબાર છોડીને આવી શકું તેમ નથી, તે તમારી સેવાને આટલો પણ લહા મને મારા ધંધાના કારણે મળ્યો તે નાને સુને નથી. માણસ જાતિ કલ્યાણ ન કરે પણ કલ્યાણ કરનારની સાથે અનુસંધાન રાખીને તેને મદદ કરે તો તેને ધર્મને લાભ થાય ! તે આજે મારું દારિદ્રય મટી ગયું! મારી આ તુચ્છ સેવા માટે મને વળતર આપો તે મારા કાર્ય ઉપર પાણી ફેરવવા જેવું થાય ! બિનહકનું ના લેવા માટે ભારતીય સંસ્કૃતિનું આ સુંદર ઉદાહરણ છે. અહીં મારાથી આ લેવાય, આ ન લેવાય તે અંગે ઝીણવટથી વિચાર થતો હતો. ૫. વફાદારી: પ્રામાણિક જીવન વહેવાર માટે ઈમાનદારી, બિનહકનું ન લેવું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy